________________
૧૬ ૨
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૩૦) સૂત્ર - ૧૭:- ધર્મ, અધર્મદ્રવ્ય, અને
ગુરુત્વાકર્ષણ.
આઈન્સ્ટાઇનના મતે ગુરુત્વાકર્ષણ નિષ્ક્રિય છે. - ગુરુત્વાકર્ષણના પ્રસાર માટે માનેલું ઇથર’ બિનભૌતિક હોવાની
માન્યતા ધર્મદ્રવ્યની માન્યતા તરફ લઈ જનારી છે.
गतिस्थित्युपग्रहौ धर्माधर्मयोरुपकारः ॥१७॥
અર્થ:- જીવ અને પુદ્ગલ પદાર્થને ગતિ અને સ્થિતિ (સ્થિરતા) | કરવામાં ધર્મ અને અધર્મ દ્રવ્યનો ઉપકાર (સહાયકપણું) છે. બે પ્રકારની ગતિક્રિયા -
જૈન તત્ત્વજ્ઞાનમાં જીવ અને પુદ્ગલ પદાર્થની બે પ્રકારની ગતિ કહી છે. (૧) વિસસા (સ્વાભાવિક) (૨) પ્રયત્નપૂર્વકની. પુગલ (ભૌતિક પદાર્થ)ની પ્રયત્નપૂર્વકની ગતિ દૈનિક અનુભવથી સિદ્ધ છે, પરંતુ કોઈના પણ પ્રયત્ન વગર, સ્વયં આપમેળે પણ, જીવ અને પુદ્ગલમાં ગતિ થાય છે. તેને શાસ્ત્રોમાં વિસસાગતિ કહી છે. તે એટલી તીવ્ર છે કે, ૧ સમય (૧ સેકંડનો પણ અસંખ્યાતમો ભાગ)માં જીવ, કે પુગલનો પરમાણુ લોક (વિશ્વ)ના એક છેડેથી બીજે છેડે ગતિ કરી શકે છે.
આધુનિક વિજ્ઞાને પ્રકાશની ગતિ ૧ સેકંડના ૩ લાખ કિ.મી. જેટલી બતાવી છે, જે શક્ય તેટલી વધુમાં વધુ છે. વિગ્નસાગતિ તો, ૧ સમય (કાળનો અવિભાજ્ય અંશ)ની પણ કલ્પનાતીત છે. એટલે શ્રદ્ધગમ્ય છે. જો કે જે વિસસાગતિ છે તે, પુદ્ગલના સૂક્ષ્મ પરમાણું ની, કે તેના સૂક્ષ્મપરિણામી સ્કંધની છે. સ્કંધ (molecule) બે પ્રકારના હોય છે (૧)