SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯) સૂત્ર - ૧૬ :- આત્માનું સંકોચન અને પ્રસારણ ૧૫૯ હાથ પ્રમાણ અદશ્ય (આહારક વર્ગણાના પુલોનું) શરીર બનાવે તે. (૭) કેવલી સમુદ્યાત - જયારે આત્મા નિર્વાણ પામવાનો હોય ત્યારે, ૧૪મા ગુણસ્થાનકમાં પ્રવેશ પૂર્વે, અને ૧૩માં ગુણ સ્થાનકને અંતે, વિશિષ્ટ પરિસ્થિતિમાં, આત્મા પોતાના આત્મપ્રદેશોને મૂળશરીરમાં રાખવા સાથે, પોતાના તૈજસ અને કાર્મણ શરીર સહિતના તે આત્મપ્રદેશોને ખૂબ વિસ્તાર કરી, માત્ર ૪ સૂક્ષ્મ સમય જેટલા અલ્પ સમયમાં સંપૂર્ણ ૧૪ રાજલોક (વિશ્વ)માં વ્યાપી જાય છે, અને તુરત બીજા ૪ સમયમાં તે આત્મપ્રદેશોનું સંકોચન કરી મૂળશરીરમાં આવી જાય છે. આ આઠ સમયની ક્રિયાને કેવલીમુદ્દઘાત કહેવાય છે. ઉપરોક્ત વિશિષ્ટ પરિસ્થિતિ આ મુજબ છે. સર્વજ્ઞકથિત આચાર-વિચારોનું પરિપાલન મુક્તિપદનો પરમ ઉપાય છે : સંસારી દરેક આત્મા ઉપર અનાદિકાલીન મૂળ ૮ પ્રકારના (પેટા ભેદ ૧૫૮) કર્મો દૂધ-પાણીની જેમ એક રસ થઈને લાગેલા છે. જૂના કર્મો પરિપક્વ થઈ ઉદયમાં આવતાં, તે તે પ્રકારના કર્મ મુજબની વિવિધ અવસ્થાઓને આત્મા અનુભવે છે. તે અનુભવના સંવેદનકાળે આત્માએ કરેલા મન, વચન, કાયાના સારા કે ખરાબ પ્રતિભાવો (રાગ, દ્વેષ આદિ)ને કારણે નવાશુભાશુભકર્મો આત્મા ઉપાર્જન પણ કરે છે. જૂનાકર્મો દૂર થાય છે અને નવા કર્મો આત્માને લાગે છે. આ રીતે કર્મનો પ્રવાહ ચાલ્યા કરે છે. જીવ જયારે ચરમાવર્તિમાં આવે, તથાભવ્યત્વનો પરિપાક કરે તે પછી, જૂના કર્મોના ઉદયમાં (અનુભવ કાળમાં) આત્મા પોતાના ભાવોને સર્વજ્ઞ કથિત પંચાચારના પાલન દ્વારા શુદ્ધ, શુદ્ધતર કરે છે. આ રીતે આત્માની પરિણતિ પરિપકવ બનવાથી જૂના કર્મો ખપવાની સાથે
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy