SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન થઈ, પ્રબલ ઉદીરણા કરણ વડે પૂર્વોપાર્જિત આત્મામાં સત્તામાં રહેલા કષાયમોહનીય નામના કર્મના ઘણાં કર્મોને, ઉદયમાં લાવી નાશ કરે તે કષાય સમુદ્યાત છે. આ ક્રિયા વખતે ઘણાં નવાકર્મો પણ બાંધે છે. (૩) મરણ સમુદ્યાત : મરણાત્ત વખતે વ્યાકુળ થયેલો આત્મા, મરણથી અંતર્મુહૂર્ત (૪૮ મિનિટથી ઓછું) પહેલા પોતાના કેટલાક આત્મપ્રદેશોને શરીરની બહાર કાઢી, જ્યાં ઉત્પન્ન થવાનો છે, તે સ્થાન સુધી, સ્વદેહપ્રમાણ જાડા દંડના આકારે લંબાવી મરણ પામે (શરીરનો ત્યાગ કરે) તે. આ દંડ અવસ્થામાં આયુષ્યકર્મના ઘણા પુદ્ગલોને ઉદયમાં લાવી વિનાશ કરે છે. આ ક્રિયામાં નવા કર્મો બંધાતા નથી. (૪) વૈક્રિય સમુઘાતઃ વૈક્રિયલબ્ધિવાળો આત્મા પૂર્વોક્ત મુજબ પૂર્વોપાર્જિત વૈક્રિયનામકર્મના ઘણા કર્મોનો નાશ કરે છે. આ ક્રિયા દ્વારા વૈક્રિયપુદ્ગલોનું પોતાને ઇચ્છિત બીજું શરીર બનાવે છે. વિશેષ જુઓ પૃ ૨૦૩થી ૨૦૮) (૫) તૈજસ સમુદ્યાત : પૂર્વની કોઈ સાધનાથી તેજોલેશ્યા નામની લબ્ધિવાળો આત્મા, પૂર્વોક્ત મુજબની ક્રિયા વડે, તૈજસનામકર્મના પુદ્ગલોને ઉદયમાં લાવી નાશ કરવા સાથે, તૈજસવર્ગણાના પુગલોને ગ્રહણ કરી, તેજલેશ્યા કે શીતલેશ્યા મૂકે છે. આ તેજોવેશ્યા પોતાની શક્તિ મુજબ એક કે અનેક મનુષ્યો, પ્રદેશો આદિને બાળવા સમર્થ હોય છે. શીતલેશ્યા પણ આ સમુદ્રઘાતથી થાય છે. શ્રાપ અને આશીર્વાદ પણ આ રીતે તેનું કાર્ય છે. (જુઓ પૃ૨૦૯થી ૨૧૬ ) (૬) આહારક સમુધ્રાતઃ આહારકલબ્ધિવાળા (આ લબ્ધિ ચૌદપૂર્વના શાસ્ત્રોના જ્ઞાતા વિશિષ્ટ મુનિઓ જ પ્રાપ્ત કરી શકે છે.) મુનિશ્રી, અરિહંત ભગવાનના સમવસરણ આદિ ઋદ્ધિના દર્શન કરવા કે, તત્ત્વના કોઈ સૂક્ષ્મ સંદેહને દૂર કરવા, ઈત્યાદિ કારણે પૂર્વોક્ત મુજબ ક્રિયાથી એક
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy