________________
(૨૯) સૂત્ર - ૧૬ :- આત્માનું સંકોચન અને પ્રસારણ
વખતે સઘળા વિશ્વમાં પણ વ્યાપી જાય છે. આ પ્રસંગે જૈન તત્ત્વજ્ઞાનમાં સાત પ્રકારના સમુદ્દાત બતાવેલા છે. તેનું સ્વરૂપ સમજીએ.
સાત સમુદ્ઘાત-આત્માની ગુપ્ત શક્તિ ઃ
-
૧૫૭
સમુદ્દાતનો અર્થ : બળાત્કારે આત્મપ્રદેશો એકાએક શરીરની પણ બહાર નીકળીને ફેલાય અને ઘણા જથ્થામાં આત્મા પર લાગેલા જૂના કર્મોની ઉદ્દી૨ણા કરી નાશ કરે (આત્મા પરથી કર્મના પરમાણુઓને છૂટા કરી વિખેરી નાખે), આવો વિશિષ્ટ પ્રયત્ન તેને સમુદ્દાત કહે છે. શબ્દના પદોનો વિગ્રહ કરી અર્થ આ રીતે સમજાય સમ્ = એકી સાથે, ઉત્ = પ્રબળતાથી, જોરથી, ઘાત = નાશ. (કર્મોનો). એકી સાથે પ્રબળતાથી કર્મોનો નાશ. શ્રી
',
દંડક પ્રકરણ ગ્રંથમાં આવા સાત પ્રકારના સમુદ્ધાતનું વર્ણન છે.
वेयण कसाय मरणे, वेउव्विय तेयए य आहारे । વનિ ય સમુધાયા, સત્ત મે ધ્રુતિ સન્નીગં ॥ (ગાથા :- ૧૬) અર્થ :- વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, આહા૨ક અને કવિલ સમુદ્દાત. આ સાત સંજ્ઞી (મન સહિત) જીવોને હોય છે.
:
(૧) વેદના સમુદ્દાત ઃ- શારીરિક કોઈપણ વેદના વડે વ્યાકુલ થયેલો આત્મા. તે પ્રસંગે પોતાના કેટલાક આત્મપ્રદેશોને શરીરની બહાર કાઢી, ઉદર વિગેરે પોલાણ અને ખભા વિગેરે આંતરાઓને (તે ખાલી જગાને) પૂરી દઈ શરીરની ઊંચાઈ અને જાડાઈ જેટલો એક સરખો દંડાકારે થાય છે. અને તે વખતે પ્રબલ ઉદીરણા કરણવડે, પૂર્વોપાર્જિત આત્મામાં સત્તામાં રહેલા અશાતાવેદનીય નામના કર્મના ઘણાં કર્મ૫૨માણુઓને, ઉદયાવલિકામાં નાખી, ઉદયમાં લાવી વિનાશ કરે તે.
(૨) કષાય સમુદ્દાત : કષાય (ક્રોધ, માન, માયા, લોભ વિગેરે મોહજનિત ભાવો) વડે વ્યાકુળ થયેલો આત્મા ઉપર કહ્યા મુજબ દંડાકારે