________________
(૨૭) સૂત્ર-૧૪:- પુદ્ગલનો ચમત્કારી ગુણધર્મ
૧૪૯ દુરુપયોગ થાય છે, તેમાં સુધારો અવશ્ય જરૂરી છે. તે ત્યારે જ શક્ય બને કે જ્યારે ધર્મનું આચરણ કરનારા અનુયાયીઓ સુશ્રદ્ધાળુ ને તત્ત્વજ્ઞાની
બને.
જૈન તત્ત્વજ્ઞાને વિશ્વની સુંદર અને સુસંગત વ્યવસ્થા પણ બતાવી છે, અને, મોક્ષમાર્ગની ઉપાસના પણ, બહુ જ તર્કબદ્ધ રીતે સમજાવી છે.
જ્યાં અશ્રદ્ધા, કે અંધશ્રદ્ધામાં ખેંચાયા વિના, જીવ સુશ્રદ્ધાળુ બને છે. કલિકાલ સર્વજ્ઞશ્રીએ આને લગતી બહુ સુંદર રજૂઆત કરી છે.
श्राद्धः श्रोता सुधीर्वक्ता, युज्येयातां यदीश तत् । વૈચ્છીશન સામ્રાજ્યમેoછ– તાવ | (શ્રીવીતરાગસ્તોત્ર)
અર્થ : ધર્મોપદેશક વક્તા બુદ્ધિશાળી હોય, અને શ્રોતા સુશ્રદ્ધાળુ હોય તો, હે પ્રભુ! કલિકાલમાં પણ તારું શાસન એક છત્રી વર્તે છે.
સૂરિરામની એવી વાણી જૈન તત્ત્વજ્ઞાનની ખાણી – શાસ્ત્રમુજબ પોતે ચાલે અને સૌને ચલાવે તે જ્ઞાની.
સાધુના ભગત અનેક હોય, પણ સાધુ તેમનો ભગત ન હોય અને સાધુને પણ જો પોતાના ભગત બનાવવાની ઈચ્છા થાય તો સાધુતા હાલવા માંડે. શાસ્ત્રકેવળ સાંભળવા માત્રથી કલ્યાણ નથી કરતું પણ, સાંભળેલું જશે, યથાશક્તિ અમલમાં આવે, અને જેટલું અમલમાં ન આવે તેનું દુઃખ
થાય, તો જ કલ્યાણ કરે. – મૈત્રી એટલે “શેકન્ડ' વિગેરે બાહ્યાડંબર કરવો એ નહિ, પણ મૈત્રી
એટલે પરનું હિત વિચારવાનું. -> થોડું ભણેલો પણ સંયમી હોય તો એ મહાજ્ઞાની અને ઘણું ભણેલો પણ
સંયમથી વિમુખ હોય, તો તે મહાઅજ્ઞાની.