________________
૧૪૮
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
છે. અથવા આવી માનવની માનસિકતા માનવી ?
ધર્મોપદેશક બુદ્ધિશાળી હોય, અને શ્રોતા સુશ્રદ્ધાળુ હોય, તો ધર્મ કલ્યાણકર બને.
અંધશ્રદ્ધાથી વિપરીત બીજી બાજું પણ જોઈએ. આધુનિક વિજ્ઞાનની સિદ્ધિઓથી અંજાઈને પ્રત્યક્ષવાદ કે પ્રયોગવાદને જ સત્યનો માપદંડ સમજનારા, અશ્રદ્ધાળુ બની જતા જોવાય છે. ધર્મને કે ગુરુઓને માત્ર ધતિંગ જ માને છે. એટલી હદ સુધી જાય છે કે, ધર્મના કારણે જ જગતમાં ઝઘડા, યુદ્ધો અને અશાંતિ વધે છે. ધર્મ ન હોય તો જગતમાં કોઈ ફેર પડતો નથી. પોતાની આજીવિકા ચલાવવા અને વાહ વાહ વધારવા માટે ધર્મના અનુષ્ઠાનો બતાવાય છે. વાસ્તવમાં તે બધા ઉપજાવી કાઢેલા છે, જાણે સ્ટંટ જ છે, આવો પ્રચાર તેઓ કરતા હોય છે.
આ વિષયમાં એટલું અત્યંત ધ્યાનમાં લેવા યોગ્ય છે કે, જો આત્મા છે, પુણ્ય-પાપ, પરલોક છે, અને મોક્ષ છે, તો આ જગતમાં આત્માના હિત માટે ધર્મની જરૂરિયાત છે. એક રીતે જોવા જઈએ તો શરીર માટે અને જીવન માટે જે ચીજોની જરૂરિયાત છે, તેના કરતાં ધર્મ કિંમતી છે. માનવના સંસ્કારી જીવન માટે જેટલી કુટુંબ, સમાજ અને દેશની વ્યવસ્થાતંત્રની જરૂર છે, તેના કરતાં વધુ માનવના આત્માને માટે ધર્મની જરૂર છે. દેશનું વ્યવસ્થાતંત્ર ગમે તેટલું બગડી જાય, તો પણ તે નાબૂદ થઈ શકે ? તેને સુધારવાના ઉપાયો અજમાવવા જોઈએ. તેમ ધર્મનું વ્યવસ્થાતંત્ર બગડી જાય તો તેને સુધારવાના ઉપાયો કરાય.
વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાજ્ય, દેશ અને વિશ્વ ઉત્તરોત્તર ચઢિયાતા ગણાય છે. ધર્મ સર્વથી ચઢિયાતો છે. વ્યક્તિ, કુટુંબ વિગેરે પૂર્વપૂર્વનાને ગૌણ કરી અનુક્રમે કુટુંબ, સમાજ વિગેરે પછીનાને પ્રાધાન્ય અપાય છે. ધર્મ કે ધર્મના નિયમો ખોટા નથી, વ્યક્તિઓ ખોટા આવી જવાથી તેનો