________________
૧૫૦
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
૨૮) સૂત્ર - ૧૫ :- આત્મા શરીરમાં કે
સર્વત્ર વ્યાપીને રહેલો છે.
-- એક જીવ જઘન્ય અને ઉત્કૃષ્ટ, લોકના અસંખ્યાતમા ભાગ જેટલી
જગા રોકે. - કેવલી સમુદ્યાત વખતે જીવ સર્વલોકાકાશમાં પ્રસરી જાય છે. -- જગદીશચંદ્ર બોઝના પ્રયોગો વનસ્પતિમાં ચૈતન્ય સિદ્ધ કરે છે.
હમણાંના સંશોધનો વનસ્પતિમાં હર્ષ, શોક, ક્રોધ, ભય વિગેરે લાગણીઓ સિદ્ધ કરે છે.
असंख्येयभागादिषु जीवानाम् ॥१५॥
અર્થ - જીવોનો અવગાહ લોકના અસંખ્યાતમા ભાગ, વગેરેમાં હોય છે.
સ્વોપજ્ઞ ભાષ્ય :- તોફાફાશે પ્રદેશ નામસંયેયમ વિ૬ નવાनामवगाहो भवति ।
એક જીવ, લોકના અસંખ્યાતમા ભાગ જેટલી જગા રોકે -
કોઈપણ એક જીવ જઘન્ય અને ઉત્કૃષ્ટથી કેટલી જગા (આકાશ) રોકે છે? તેનો આ ઉત્તર છે કે, જઘન્ય કે ઉત્કૃષ્ટ લોકાકાશ (વિશ્વ)ના અસંખ્યાતમા ભાગ જેટલી જગા રોકે. અર્થાત્ એક જીવની તેટલી જ અવગાહના હોય. તેને વિગતવાર અને ઊંડાણથી સમજીએ.
આપણા આ પરિમિત લોકાકાશ (વિશ્વ)ના કુલ આકાશ પ્રદેશો અસંખ્ય છે. આ અસંખના પણ અસંખ્ય પ્રકારો પડશે. દા.ત. એક