________________
(૨૫) સૂત્ર-૧૩-૧૪ રાજલોક
૧૩૭
અર્થ - જ્યાં થોડા કાળમાં જ હે પ્રભુ ! તારી ભક્તિનું ફળ પ્રાપ્ત થાય | છે, તેવો એક જ કલિકાલ છે. અમારે તો પ્રભુ! તું મળ્યો એટલે કલિકાલ પણ સારો જ છે. કૃતયુગ વડે અમારે સર્યું.
હિંદુ શાસ્ત્રોમાં આ વસ્તુને સમજાવતું એક દષ્ટાંત આવે છે – “એકવાર પૃથુરાજા કલિયુગને મારવા તૈયાર થયા. એટલે કલિયુગે કરગરીને વિનંતિ કરી કે મને મારી નાખો તો ભલે, પણ મારામાં જે એક વિલક્ષણ શક્તિ છે તે બાબત તમે સાંભળો, પછી તમને યોગ્ય લાગે તે કરજો. સત્યયુગમાં હજારો તો શું લાખો વર્ષ તપ-જપ કરી જે લાભ મેળવી શકાતો નથી, તે હું “ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલા અલ્પ સમય માટે પણ જો કોઈ વ્યક્તિ મનને સ્થિર કરી સાચા ભાવથી પ્રભુને ભજે, તો કલિયુગ રૂપે હું આપું છું – આ સાંભળી પૃથુરાજાએ કલિયુગને મુક્ત કર્યો. (કલિયુગ કોઈ વ્યક્તિ નથી. જેને મારી શકાય એટલે આ રૂપક દષ્ટાંત છે. કલિયુગના સ્વરૂપનું તાત્પર્ય સમજવા ઉપયોગી છે.)
પાંચમા આરાનું ભયાનક ભાવિ :
પાંચમા આરામાં લોકો કેવા થવાના એ વિષયમાં ભગવાન હવે આગળ કહે છે કે, મર્યાદાવિહીન, છીછરા પાણીના તળાવની જેમ છલકાઈ જાય, ધર્મની બુદ્ધિ ઘટવાનીને જવાની, અધર્મબુદ્ધિ વધવાનીને રહેવાની, લોકોની મતિ કુતીર્થિઓથી મોહિત થવાની, અહિંસા ઘટવાની હિંસા વધવાની. ગામ સ્મશાન જેવા થશે. નગર પ્રેતલોક જેવાં થશે.
રાજાઓ લોભી. લોક, સ્વજનના વિરોધી-સ્વાર્થમાં તત્પર, પરોપકાર વિહીન, સત્યહીન, લજ્જાહીન, ક્ષમા રહિત. પહેલાં અસત્ય બોલનાર શોધવો પડતો આજે સત્ય બોલનાર શોધવો પડે. અનુભવ છે ને? શિષ્યો ગુરુની સેવા નહિ કરનારા. ગુરુ શિષ્યોની ખબર નહિ રાખે. ગુરુ શિષ્યોને શ્રુતજ્ઞાનનો ઉપદેશ જ નહિ આપે. ગુરુકુળવાસ ધીમે ધીમે નાશ પામશે. ધર્મબુદ્ધિ નાશ પામશે. જીવોત્પત્તિ વધવાની, દેવતા સાક્ષાત્ નહિ થાય. પુત્રો