SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન કર્મના પ્રભાવથી પણ સર્વજ્ઞની આજ્ઞાનો સર્વોપરી પ્રભાવ છે. માટે જ કહ્યું કે, आज्ञाऽऽराद्धाविराद्धा च, शिवाय च भवाय च । જૈન તત્ત્વજ્ઞાનમાં પ્રાચીન લક્ષણ જોવા મળે છે :- વિશ્વના મુખ્ય બંધારણીય તત્ત્વોની ગણત્રીમાં ગુણશ્રેણીનો અભાવ છે. ધર્મ (ગતિસહાયક) અધર્મ (સ્થિતિ સહાયક) જીવ, પુદ્ગલ, આકાશ, અને કાલ, આ છે સનાતન દ્રવ્યો, અથવા વિશ્વના અણુઓના દ્રવ્યોના વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જૈન તત્ત્વજ્ઞાનમાં રજૂ કરવામાં આવેલી આ હકીકતો વિષે વિચાર કર્યા પછી પ્રાધ્યાપક જેકોબી એવા નિર્ણય પર આવ્યા કે – ભારતમાં આર્યોની વસાહતોના ઘણા જૂના સમય દરમિયાન જૈનધર્મ ઉત્ક્રાંતિ પામેલો અને તેમણે જણાવ્યું કે – આ નિર્ણય જૈન ધર્મ બૌદ્ધ ધર્મનો ફાંટો છે એવી ભૂલને એકી વખતે કાયમને માટે દૂર કરે છે. આમ એ વસ્તુ નિઃશંક રીતે પુરવાર થયેલી કે - જૈન ધર્મ તદ્દન સ્વતંત્ર અને અપવાદરૂપ ગણાય તેટલી હદે પ્રાચીન ધર્મપ્રથા હતી અને તે બૌદ્ધ ધર્મનો ફાંટો ન હતો, એટલું જ નહિ પણ તે બૌદ્ધ ધર્મ કરતાં ગણના પાત્ર રીતે પુરાણો હતો. પોતાના એક પ્રવચનમાં તે કહે છે “મારા જૈનધર્મને લગતા અધ્યયનોએ મને જૂનાં સિદ્ધાંતોના અસ્વીકાર કરવા અને જૈન ધર્મ બૌદ્ધ ધર્મ કરતાં તદ્દન સ્વતંત્ર છે, એવી પ્રતીતિ કરાવવા અને પ્રેર્યો છે. બંને તત્ત્વજ્ઞાન વચ્ચેનો ભેદ એટલો મહાન જણાય છે કે, બંને સામાન્ય પાયા પર હોય તેવા વિચારને એ દૂર કરે છે. (જૈન ગેઝેટ ૧૯૧૪) પ્રાધ્યાપક રાઈસ ડેવીડ્રેસ-જૈનો બૌદ્ધ ધર્મના ઉત્થાન પહેલાંના | ભારતીય ઇતિહાસથી માંડીને વર્તમાન સમય સુધી સુગ્રથિત વ્યવસ્થિત કોમ તરીકે વિદ્યમાન રહી છે. (બૌદ્ધ ભારત, બીજી આવૃત્તિ લંડન ૧૯૦૩) Jainism the oldest living Religion-Hiel.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy