________________
(૨૩) સૂત્ર-૧૧-વિજ્ઞાનનો પરમાણું - Quark
૧૨૫ વર્ગણાઓમાં સૌથી છેલ્લી અને સૂક્ષ્માતિસૂક્ષ્મ (નાની) વર્ગણા, કર્મના અણુઓની છે. તેનું તો અનાદિકાલીન આખા વિશ્વ ઉપર વ્યાપક સામ્રાજ્ય છે. અનંત ચૈતન્યશક્તિના માલિક એવા આત્માને, જડ એવા સૌથી નાના ગણાતા કર્મના અણુંએ, કેવો રાંકડો બનાવી દીધો છે ? અનંત નિગોદમાં આત્માને સબડાવી વ્યવહારરાશિમાં આવ્યા પછી પણ કેટલો નચાવે છે? આ પ્રભાવ કર્મના અણુઓનો જ છે ને ? સૂકમની તાકાત ઘણી છે. અતિસૂક્ષ્મ પરમાણું એક સમયમાં ૧૪ રાજલોક (વિશ્વ)ના આ છેડેથી પેલે છેડે ગતિ કરવા સમર્થ છે. પ્રકાશની ગતિ કરતાં પરમાણુંની આ ગતિ કઈ અસંખ્ય ગુણી છે. કર્મના પ્રભાવથી પણ સર્વોપરી, આજ્ઞાનો પ્રભાવ-આજ્ઞાની સૂક્ષ્મતાકાત -
પરંતુ અણુના સામર્થ્ય પાછળ રહસ્ય રહેલું છે. અણુઓ જો પરસ્પર એકબીજાની સાથે મેળ સાધી સંયુજિત થાય, તો જ તે સર્જન કરવા સમર્થ બને. એકલો અટૂલો છૂટો પરમાણું નકામો અને શક્તિહીન છે. આવા છૂટા-એકલા-સ્વતંત્ર અણુઓ આ વિશ્વમાં અનંતા પડ્યા છે, પણ નક્કામા, રાંકડા. ખાલી આમ તેમ ફર્યા કરે છે. પણ તે સ્કંધ સાથે જોડાય તો શક્તિશાળી બની જાય. સૂમ જો એકત્રિત બને તો તેની શક્તિ અનેકગણી વધી જાય છે. જેમ પાણીનું ટીપું સ્વતંત્ર રહે તો તેનું અસ્તિત્વ જોખમાય, પણ મસમોટા પાણીના સ્કંધ એવા, સાગર સાથે જોડાય તો? અક્ષય બની જાય ! શક્તિ સંપન્ન બની જાય.
આધ્યાત્મક્ષેત્રમાં પણ આવું જ છે. નાનુ કે મોટું કોઈ પણ ધર્મ અનુષ્ઠાન પરમાણું જેવું કે, ટીપા જેવું છે. પરંતુ તે જો સર્વજ્ઞ પરમાત્માની સર્વોપરી મહાન આજ્ઞા સાથે જોડાઈ જાય, આજ્ઞાને અનુસરતું બની જાય તો, વિશ્વમાં વ્યાપક સામ્રાજ્ય ધરાવતા અનંતા કર્મપરમાણુંઓને પણ વિખેરવા સમર્થ બને. સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞા વગરના ઘણાં પણ ધર્મઅનુષ્ઠાનથી આત્મા કર્મમુક્ત ન બને, અને આજ્ઞાયુક્ત ધર્માનુષ્ઠાન, સામર્થ્ય યોગ દ્વારા આત્માને સર્વકર્મબંધથી ક્ષણમાં મુક્ત કરાવી દે. આજ્ઞાની આ અતિ સૂક્ષ્મ તાકાત છે.