________________
૧૨૪
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન તાત્પર્ય કે, ઇન્દ્રિયથી પારખી શકાય કે, વિજ્ઞાનના તીવ્ર સંવેદનશીલ સાધનો પકડી શકે, તેટલો જ પુગલ પદાર્થ હોય તેવો નિયમ નથી. આપણે જોયું કે જૈન તત્ત્વજ્ઞાન મુજબ સર્વ પરમાણુઓ, અને ઘણા સ્કંધો, અને તેના વર્ણાદિ પણ, ક્યારેય ઇન્દ્રિગ્રાહ્ય થઈ શકતા નથી. કેટલાક અનુત્કટ હોવાથી જણાતા નથી. અવસ્થા બદલાવાથી ઉત્કટ થાય તો જણાય છે. તે ઘણા જથ્થામાં ભેગા મળે અને તેના વર્ણાદિ અધિક અંશવાળા હોય તો જ ઇન્દ્રિય ગ્રાહ્ય બની શકે છે. (પૃ. ૨૮૯) જગતના દશ્યમાન સર્વે પદાર્થો સૂક્ષ્મ પરમાણુંઓના સંયોજનથી જ બનેલા છે. સઘળા સૂક્ષ્મ પરમાણુઓ એક સમાન હોવા છતાં તેમના સંયોજન થવાની વિવિધ પદ્ધતિઓને કારણે પદાર્થોમાં વિવિધતા જણાય છે. સર્જનહાર અણુ છે! સૂક્ષ્માતિસૂક્ષ્મ કર્મવર્ગણાના પુગલોનું વિશ્વમાં અનાદિકાલીન વ્યાપક સામ્રાજ્ય છે -
જો કે બીજી રીતે જોવા જઈએ તો નાના એવા અણુની તાકાત સૌથી મોટી છે. જગતના બધા પદાર્થોનો પાયાનો કણ અણુ, જો સાથ ન આપે તો પદાર્થનું સર્જન જ ન થાય. ખરેખર સૃષ્ટિના સર્જનહાર અણુ જ છે ! મેરુપર્વતની મહાનતા પણ અણુને જ આભારી છે અણુઓ જો છૂટા પડવા માંડે તો મોટામાં મોટા પણ સ્કંધનું અસ્તિત્વ જ જોખમાઈ જાય. મેરુપર્વત શાશ્વત છે તે છૂટા પડવા છતાં અણુંઓ નવા જોડાયા કરે છે, માટે જ ને? જો સઘળા અણુઓ એક સાથે છૂટા પડી જાય તો મેરુને પણ વિખેરી નાખવાની તાકાત, જે કોઈમાં નથી, તે અણુમાં છે. પોતે માનેલા અણુમાંથી વર્તમાન વિજ્ઞાન કેટલી ઉર્જા પેદા કરે છે? આખુ જગત ચમત્કૃત થઈ જાય તેવી અઢળક શોધો પણ અણુના સિદ્ધાંતોને જ આભારી છે. મચ્છર કહેવાય નાનો પણ મસમોટા હાથીને પણ પરેશાન કરી મૂકે છે. અણુબોંબથી આજે વિશ્વ ભયમાં છે.
પુદ્ગલ પદાર્થની વિશ્વની સઘળી રચનાઓને સમાવી લેતી ૮