________________
૧૧૮
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન તે સઘળા પદાર્થો-સોનું, ચાંદી આદિ ધાતુઓ, માટી, પથ્થર, રેતી આદિ સર્વે પૃથ્વીના પ્રકારો, હવા, પાણી આદિ સર્વે પૌદ્ગલિક (ભૌતિક) પદાર્થોનો (અંતિમ પ્રારંભિક) કણ (elementry Particle) સૂક્ષ્મ પરમાણું છે. જૈન તત્ત્વજ્ઞાન મુજબ તે સૂક્ષ્મ પરમાણું એક જ પ્રકારનો છે, અને તે સર્વે કુલ અનંત પ્રમાણવાળા છે. આ સૂક્ષ્મપરમાણુઓ (પ્રદેશો) એક, બે આદિથી માંડી સંખ્યાત, અસંખ્યાત, અને અનંતની સંખ્યામાં જોડાઈને પુદ્ગલના સ્કંધો (molecules) બને છે. અનંત પરમાણુંઓનો બનેલો સ્કંધ હોય, તે જ દશ્ય બની શકે છે. બાકીના સંખ્યાત, અસંખ્યાત, પરમાણુંઓના બનેલા સ્કંધો હંમેશા અદેશ્ય (સૂક્ષ્મ પરિણામી) જ હોય છે. પુદ્ગલપદાર્થ ચાર પ્રકારનો હોય છે.
૧. સ્કંધ ૨. સ્કંધ દેશ ૩. સ્કંધ પ્રદેશ અને ૪. પરમાણું. આ ચાર પ્રકારનો પુદ્ગલાસ્તિકાય જાણવો.
પુદ્ગલ પદાર્થનો કોઈપણ અખંડ ભાગ. દા.ત. પથ્થરનો, લાકડાનો, ઈંટ આદિનો છૂટો સ્વતંત્ર ટૂકડો તે “પુદ્ગલ સ્કંધ' કહેવાશે. તેનો કોઈપણ નાનો કે મોટો જોડાયેલો વિભાગ તેને સ્કંધદેશ કહેવાશે. દા.ત. તે પથ્થરનો અડધો, ૪થો વિગેરે વિભાગ, જે તેના અંતિમ કણ સિવાયનો હોય, તે કોઈપણ વિભાગ તે અંધદેશ. સ્કંધદેશ, સ્કંધની સાથે જોડાયેલો છે, છૂટો પડેલો નથી, તેથી બુદ્ધિથી કલ્પેલો છે. હવે સ્કંધપ્રદેશ = સ્કંધ, કે સ્કંધદેશની સાથે જોડાયેલો જે અંતિમ કણ (તેનો અંતિમ અવિભાજ્ય અંશ), તે “સ્કંધપ્રદેશ' કહેવાય છે. હવે તે જોડાયેલો અંતિમકણ જ્યારે છૂટો પડી સ્વતંત્ર બને, એટલે તે જ (સ્કંધ પ્રદેશ) પરમાણુ તરીકે કહેવાય છે. તેથી હવે સમજી શકાશે કે, સ્કંધપ્રદેશ અને પરમાણુ, બંને એક જ છે. બંનેમાં વિશેષતાએ છે કે, પરમાણું જો સ્કંધ સાથે જોડાયેલો હોય તો, તે (સ્કંધ) પ્રદેશ તરીકે ઓળખવાય છે, અને તે