________________
(૨૨) સૂત્ર-૯ અને ૧૦ઃ- સર્વ આકાશ અને પુદ્ગલ અનંત છે
૧૧૭
અને જીવ, એ ચારેય અનાદિકાલીન અખંડદ્રવ્ય છે. તે દરેકનો, જે અવિભાજ્ય અંશ (સ્કંધ સાથે જોડાયેલો, સ્કંધબદ્ધ) હોય, તેને પ્રદેશ કહેવાય છે. આકાશના આવા અનંત પ્રદેશ હોય છે. તેથી કહેવાનું તાત્પર્ય એ થયું કે, સર્વ આકાશ તેના અવિભાજ્ય અંશ એવા અનંતા પ્રદેશો મળીને બનેલું છે. લોકાકાશના અસંખ્ય પ્રદેશનું બનેલું છે. લોકાકાશની પછી પણ સર્વત્ર જે આકાશ છે, તેને અલોકાકાશ કહેવાય છે, તે અનંત છે. અનંત યોજનના વિસ્તારવાળું છે. તાત્પર્ય એ કે, તેનો અંત નથી. ધર્મ, અધર્મ અને જીવ, એ ત્રણેય પણ લોકાકાશ જેટલા જ અસંખ્ય પ્રદેશવાળા છે.
આધુનિક ગણિતશાસ્ત્રમાં અનંતને દર્શાવવા (Infinite) આવા ચિહ્નવડે દર્શાવાય છે. પણ અનંત એટલે કેટલું ? તેના કોઈ પ્રકારો અને તેનું કોઈ નામાંકન, કે તેના જથ્થાનું પ્રમાણ કેટલું ? તે બાબતમાં વિશેષવિગતો નથી. જૈન તત્ત્વજ્ઞાન તેના ભેદ-પ્રભેદ સહિત તેના પ્રમાણ (જથ્થા)ની સાચી સમજ આપે છે. સઘળા જીવો, સઘળા પરમાણુંઓ, ધર્મ, અધર્મ, આકાશ અને સર્વજીવોના પ્રદેશો, તેઓની જુદી જુદી અવસ્થાઓ, ભૂત, વર્તમાન, અને ભવિષ્યકાળના સમયો, આ સઘળું એકઠું કરો તે સર્વે ૮મા અનંતમાં (પૃ. ૧૧૪) સમાઈ જાય છે. પુદ્ગલના પ્રદેશ ઃ
સર્વ આકાશના અનંત પ્રદેશો છે, તેમ જણાવી હવે પછીના દશમા સૂત્રમાં પુદ્ગલના પ્રદેશો કેટલા હોય ? તે અંગે જણાવ્યું કે પુદ્ગલ દ્રવ્યના પ્રદેશો સંખ્ય પણ હોય, અસંખ્ય પણ હોય, અને અનંતપણ હોય.
અનંત પરમાણુંઓનો બનેલો સ્કંધ (molecule) જ દૃશ્ય હોય છે. બાકીના સ્કંધો હંમેશાં અદેશ્ય (સૂક્ષ્મપરિણામી) જ હોય છે. ઃ
પુદ્ગલ (ભૌતિક) પદાર્થ આ જગતમાં ખૂબ જ પરિવર્તન પામતો પદાર્થ છે. આ વિશ્વમાં પુદ્ગલ પદાર્થની જેટલી વિવિધતાઓ દેખાય છે