________________
૧૦૮
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન શલાક પ્યાલામાં માત્ર એક જ સરસવનો દાણો નાખવાનો છે. આ રીતે અનવસ્થિત પ્યાલો વારંવાર ભરાતાં અને ખાલી થતાં, (૨) શલાકા (બીજો) પ્યાલો પણ સાક્ષીરૂપ કણવડે ભરાઈ જાય ત્યારે, ત્યાં ફરી તે છેલ્લા કણવાળા દ્વિીપ સમુદ્રથી આગળના દ્વીપ સમુદ્રમાં દાણાઓ “શલાકા’માંથી નાંખતા જવા, એમ કરતાં (૨) શલાકા પ્યાલો પણ ખાલી થાય ત્યારે.
સરસવનો એક કણ સાક્ષી તરીકે (ત્રીજા) પ્રતિશલાકા પ્યાલામાં નાંખવો. પછી વળી એ પૂર્ણ ભરેલા અનવસ્થિત પ્યાલાને ઉપાડીને શલાકાના છેલ્લા કણવાળા દ્વીપ કે સમુદ્રથી આગળના દ્વીપસમુદ્રોમાં કણો નાંખવા. અહીં એટલું બરાબર સમજશો કે વારંવાર (૧) “અનવસ્થિતપ્યાલો ભરાતાં અને ખાલી થતાં પૂર્વની પેઠે (૨) શલાકા પ્યાલો ભરાય છે. વળી પૂર્વની પેઠે (૨) શલાકા પ્યાલાને ઉપાડીને ભરીને તેની આગળ આગળના દ્વીપ-સમુદ્રમાં ખાલી કરીને તેના સાક્ષી રૂપે કણો ત્રીજા પ્રતિશલાક પ્યાલામાં નખાય છે. આ (૩) પ્રતિશલાક પ્યાલો પણ જયારે શિખા એટલે શગ સુધી ભરાઈ જાય એટલે (૧) “અનવસ્થિત અને (૨) “શલાકા” બેઉ પોતાની મેળે જ ભરેલા રાખી મૂકવા, કેમકે એના સાક્ષી રૂપે કણ શામાં નાખવા? “શલાકામાં સાક્ષી રૂપ નાખેલા કણો ભરેલા છે. અને નાખવાનું અન્ય સ્થાન નથી. તેમ પહેલા અનવસ્થિત'ના સાક્ષી રૂપ કણને નાખવાનું અન્ય સ્થાન નથી. પછી
(૩) પ્રતિશલાકને ઉપાડીને પૂર્વ પ્રમાણે એમાંથી સરસવના કણોને આગળ આગળના દ્વિીપસમુદ્રોમાં ફેંકવા. એમ કરતાં જયારે એ આખો ખાલી થાય ત્યારે એના સાક્ષીભૂત પ્રત્યેક કણને (૪) ચોથા “મહાશલાક’ પ્યાલામાં નાખવા, પછી
(૨) શલાક ઉપાડીને એના સરસવોને એની આગળના દ્વીપ-સમુદ્રોમાં નાખીને અને સાક્ષી કણોને (૩) પ્રતિશલાક પ્યાલામાં નાખવા પછી અનુક્રમે વૃદ્ધિ પામતા વિસ્તારવાળા (૧) “અનવસ્થિત' પ્યાલાને ઉપાડીને એના કણોને આગળ - આગળના દ્વીપ-સમુદ્રોમાં ફેંકવા.
પૂર્વની પેઠે એના સાક્ષીરૂપ કણથી “શલાક પ્યાલો ભરાઈ જશે, એને