________________
૧૦૫
(૨૦) સૂત્ર - ૭ અને ૮:- અસંખ્ય અને અનંત અસંખ્ય અને અનંતનો વિચાર ઉત્કૃષ્ટ સંખ્યાતનું સ્વરૂપઃ
હવે અહીં પ્રશ્ન થાય કે અસંખ્ય પ્રદેશ કહ્યા તેનું પ્રમાણ કેટલું? આનો સાદો અર્થ એ થાય કે જે સંખ્યાથી ગણી ન શકાય તે અસંખ્ય. પરંતુ ફરી પ્રશ્ન થાય કે તેનું કોઈ નિશ્ચિત પ્રમાણ છે કે નહિ? જૈન તત્ત્વજ્ઞાનમાં અસંખ્ય અને અનંત વિગેરે સંખ્યાના જે ભેદો પાડેલા છે. તેના પ્રમાણને આંકડાની મર્યાદાથી સમજાવી શકાય તેમ નથી, માટે કેટલીક ઉપમા દ્વારા સમજાવવામાં આવ્યા છે. જેના દ્વારા તેના પ્રમાણ (જથ્થો (quantites)નો કંઈક અંશે આપણને અંદાજ આવે. શ્રી લોકપ્રકાશ ગ્રંથ સર્ગ - ૧ ના આધારે સંખ્યાના ભેદોનું વર્ણન જોઈએ.
સંખ્યાના મૂળ ૩ ભેદ છે. [૧] સંખ્યાત – ૩ પેટાભેદ રિ અસંખ્યાત +૯ પેટાભેદ ૩િ) અનંત – ૯ પેટાભેદ આ રીતે ૩+૯+૯ = ૨૧ પેટાભેદ છે. તે જોઈએ
[૧] સંખ્યાત (Numberable) ઃ તેના ૩ પેટાભેદ. (૧) જઘન્ય સંખ્યાત, (૨) મધ્યમ સંખ્યાત, અને (૩) ઉત્કૃષ્ટ સંખ્યાત
[૧] (૧) જઘન્ય સંખ્યાત – ૨ની સંખ્યા (૧, ને સંખ્યાની ગણતરીમાં લીધી નથી)
[૧] (૨) મધ્યમ સંખ્યાત - ૩થી માંડીને ઉત્કૃષ્ટ સંખ્યાત (૩જા ભેદનું જે પ્રમાણ આવે તે)માંથી એક ઓછું, ત્યાં સુધીનું :-તે મધ્યમ સંખ્યાત કહેવાય છે. એટલે કે તેના અનેક ભેદ થશે. ૩,૪,૫,૬,૭... વિગેરે
[૧] (૩) ઉત્કૃષ્ટ સંખ્યાત - ચાર પ્યાલા અને સરસવના દ્રષ્ટાંતથી જે પ્રમાણ આવે, તે નિશ્ચિત પ્રમાણ. તે આ (ચાર પ્યાલા અને સરસવના) દ્રષ્ટાંતની કલ્પનાને સમજવા આપણે વિસ્તૃત વર્ણન સમજવું પડશે.