________________
૧૦૪
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
(૨૦) સૂત્ર - ૭ અને ૮:- અસંખ્ય અને અનંત
> અસંખ્ય અને અનંત વિગેરેના ભેદોના પ્રમાણને સમજવા માટેનું
દૃષ્ટાંત
असंख्येयाः प्रदेशा धर्माधर्मयोः ॥७॥ जीवस्य च ॥८॥
અર્થ : ધર્મ, અને અધર્મદ્રવ્યના પ્રત્યેકના અસંખ્ય પ્રદેશો હોય છે. (૭) જીવના પણ તેટલા જ પ્રદેશો છે. (૮)
આ પ્રદેશો લોકાકાશના પ્રદેશોની સમાન છે. આ જ વાત શ્રી સ્થાનાંગસૂત્ર આગમમાં કહી છે.
चतारि पएसग्गेणं तुल्ला असंखेज्जा पण्णत्ता तं जहा धम्मत्थिकाए, અધમ્મસ્થા , તો તે પણ નીવે (શ્રી સ્થાનાંગ સૂત્ર - ૪-૩-૩૩૪)
અર્થ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, લોકાકાશ અને એકજીવ, આ ચારેયના પ્રદેશો તુલ્ય છે અને અસંખ્ય છે.
અનંત આકાશની મળે જે લોકાકાશરૂપી વિશ્વ રહેલું છે, તે લોકાકાશમાં ધર્મ અને અધર્મ સમવ્યાપક છે. બીજા શબ્દોમાં કહીએ તો જેટલો વિસ્તાર લોકાકાશનો છે, તે જ વિસ્તારમાં તેટલો જ વિસ્તાર, ધર્મ અને અધર્મનો છે. આપણે પૂર્વે જોયું તે મુજબ, આ જ કારણે લોકકાશમાં જ જીવ અને પુદ્ગલોની સ્થિતિ અને ગતિ છે. તેની બહાર માત્ર આકાશ સિવાય કંઈ નથી. ધર્મ અને અધર્મ અને લોકાકાશ સમવ્યાપક છે. ત્રણેયના પ્રદેશો (અવિભાજય અંતિમ કણો) સમાન છે. એક જીવના પ્રદેશોપણ તેટલા જ છે, પણ તે પ્રદેશો પોત પોતાના શરીર જેટલા વિસ્તારમાં જ સંકોચાઈને, એકબીજામાં પ્રવેશ પામીને રહેલા છે.