________________
૧૦૩
(૧૯) સૂત્ર - ૬૯- ત્રણ દ્રવ્યો નિષ્ક્રિય છે. ચૈતન્ય સ્વરૂપે છે. જીવના ગમે તેટલા પરિવર્તનો થાય પણ (આત્માના જ્ઞાનાદિગુણો નાશ પામતા નથી.) જ્ઞાનાદિ ચેતના ગુણો શાશ્વત છે. જે વનસ્પતિ જીવની નિકૃષ્ટ અવસ્થામાં પણ તેની ક્રિયાઓ દ્વારા અલ્પમાત્રામાં પણ જીવંત જણાઈ આવે છે. એ જ આત્મા, પુદ્ગલના સંગથી મુક્ત થતાં, પૂર્ણજ્ઞાનગુણને વિકસાવી શકે છે. આ રીતે એકલો નાશ, કે એકલી સ્થિરતા, સંભવી શકે જ નહિ. વ્યવસ્થા જ ન ચાલે. એક સ્થિર આધારમાં જ ઉત્પત્તિ નાશ થયા કરે. તે માટે એક રમુજી કાલ્પનિક દ્રષ્ટાંત જોઈએ.
એક કુંભાર હતો, દિવસરાત જાતજાતના વાસણો બનાવે પણ તેને અસંતોષ હતો કે-મારા બનાવેલા સુંદર વાસણો ભાંગી કેમ જાય છે? તે જોઈ તેનું દિલ તૂટી જતું. તેણે સાધના કરી, દેવપાસે પોતાના વાસણો ન તૂટે તેવું વરદાન માગ્યું. દેવે પાછળથી પસ્તાવું ન પડે માટે ખૂબ વિચારવા કહ્યું, પણ કુંભારે ખાત્રી પૂર્વક કહ્યું – “મારે તેવું વરદાન જોઈએ, એ માટે હું કદી પસ્તાઈશ નહિ” દેવે વરદાન આપ્યું. એક વાસણ બનાવી કુંભારે પછાડી જોયું, તૂટ્યું નહીં. તે તો રાજીનોરેડ થઈ ગયો. લોકો પણ તેના વાસણની માંગ કરવા લાગ્યા, તેના વાસણો ચપોચપ વેચાવા લાગ્યા, કુંભાર ખૂબ આનંદ પણ પામ્યો, અને ધનવાન બની ગયો. પરંતુ સમય જતાં વાસણોની માંગ એકદમ ઘટી ગઈ. કારણ હવે વાસણો તૂટતાં ન હતા. કુંભારની કમાણી ઘટી ગઈ. ઘર જ ન ચાલે એટલે ગમે તેવો માણસ ચિંતામાં મૂકાઈ જાય. ફરી તેણે અધિક સાધના કરી, દેવ પ્રત્યક્ષ થયા. તે બે હાથ જોડી રડી પડ્યો. વરદાન પાછું ખેંચી લેવા આજીજી કરી. જે હતું એ જ બરાબર હતું, તેમાં મેં ખોટો ફેરફાર કરાવ્યો. હવે કદી જે છે તેમાં ફેરફાર નહીં કરાવવાના વચન સાથે દેવે વરદાન પાછું ખેંચ્યું અને કુંભારનો ઘર સંસાર વ્યવસ્થિત ચાલવા લાગ્યો. આ તો કાલ્પનિક વાત છે, પણ જૈનતત્ત્વજ્ઞાન મુજબ માત્ર સ્થિરતા વાસ્તવિક નહોય, એમ એકલું પરિવર્તન પણ વાસ્તવિક નહોય.