________________
(૧૯) સૂત્ર - ૬ :- ત્રણ દ્રવ્યો નિષ્ક્રિય છે.
૧૦૧
હજુ ફરી આગળ પ્રશ્ન કર્યો કે-જો ઉત્પત્તિ નાશની ક્રિયા ઘટશે તેમ કહો છો, તો પછી તેને નિષ્ક્રિય શા માટે કહ્યા ? તેનું સમાધાન આપતાં ગ્રંથકાર લખે છે કે
क्रियेति गतिकर्माह सूत्रकारः पुद्गलजीववर्तिनी या विशेष क्रिया देशान्तरप्राप्ति लक्षणा, तस्याः प्रतिषेधोऽयम्, नोत्पादादिसामान्यक्रियायाः |
અર્થ : ક્રિયા શબ્દથી ગતિક્રિયાને સૂત્રકાર કહેવા માગે છે- જે પુદ્ગલ અને જીવમાં રહેલી વિશેષ ક્રિયા, એટલે કે એકસ્થાનથી બીજે સ્થાન જવા રૂપ જે ક્રિયા, તે ક્રિયાનો અહીંયા (નિષ્ક્રિય કહેવા દ્વારા) નિષેધ સમજવો, પણ ઉત્પાદાદિ સામાન્ય ક્રિયાનો નિષેધ ન સમજવો.
ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય, એ સર્વ સામાન્ય ક્રિયા છે. તે દરેક પદાર્થોમાં એક સમાન રીતે ઘટે છે. તે અસ્તિત્ત્વ માત્ર ધરાવતા દ્રવ્યમાં અવશ્ય હોય છે. તે વિના તે વાસ્તવિક દ્રવ્ય જ ન હોઈ શકે. આ દ્રવ્યની વ્યાખ્યા (સામાન્ય ગુણધર્મ) તત્ત્વજ્ઞાનની આગવી વિશેષતા છે. આ રીતે ધર્મ, અધર્મ અને આકાશમમાં પણ ઉત્પાદાદિ સામાન્યક્રિયા તો ઘટશે જ, પણ ગતિ કરવી વિગેરે વિશેષ ક્રિયા નહીં ઘટે. કારણ કે આકાશાદિ ત્રણ અનાદિકાળથી જ્યાં સ્થિત છે, ત્યાંથી એક પ્રદેશ જેટલું લેશ માત્ર પણ ચલાયમાન થતા નથી તેથી તે નિષ્ક્રિય છે. આકાશની જેમ ધર્મ અને અધર્મ દ્રવ્યમાં પણ ગતિસહાયકપણા અને સ્થિતિસહાયકપણા તરીકે ઉત્પત્તિ નાશ ઘટાવવો. બધા દ્રવ્યોમાં ત્રિપદી ઘટે છે :
જીવ અને પુદ્ગલ દ્રવ્યમાં જ ગતિ કરવાની ક્રિયા સંભવે છે. વિશ્વમાં જે કંઈ પણ સક્રિયતા છે, જે કંઈ પરિવર્તન છે, તે જીવ અને પુદ્ગલ બે દ્રવ્યોમાં જ છે. તે પરિવર્તન પણ જીવ અને પુદ્ગલની પરસ્પરની એકબીજાને આધારે, એકબીજાના સંયોગ સંયોજન એક રસપણાદિને કારણે જ સંભવે છે, સંસારી જીવ જ, પુદ્ગલ સાથે સંયોજન કરી જગતમાં પરિવર્તન લાવે છે. જયારે સિદ્ધના જીવો