________________
(૧૯) સૂત્ર - ૬ :- ત્રણ દ્રવ્યો નિષ્ક્રિય છે.
(૧૯) સૂત્ર - ૬ :- ત્રણ દ્રવ્યો નિષ્ક્રિય છે.
22
→ ધર્મ, અધર્મ અને આકાશ આ ૩ દ્રવ્યો કાયમી સ્થિર અને નિષ્ક્રિય છે, તેમ છતાં તેમાં ત્રિપદી ઘટે છે.
→ એકલી સ્થિરતા વાસ્તવિક ન હોય, અને માત્ર પરિવર્તન પણ વાસ્તવિક ન હોય
નિષ્ક્રિયાળિ ૬ ॥ સૂ-૬ ॥
અર્થ : ધર્મ, અધર્મ અને આકાશ નિષ્ક્રિય છે. એટલે કે તેઓ એક સ્થાનેથી બીજે સ્થાને ગતિ કરવા સમર્થ નથી.
આ આાગાદેવ ધાંવીનિ નિષ્ક્રિયાળિ મવત્તિ (સ્વોપન્ન ભાષ્ય) ધર્મ, અધર્મ અને આકાશ જગતના ભૌતિક પદાર્થો અને જીવોને અનુક્રમે ગતિ કરવી, સ્થિર રહેવું અને જગા આપવાના કાર્યને બજાવે છે, પરંતુ સ્વયં કોઈ પદાર્થને ગતિ કરાવતા નથી. તેઓ ત્રણે નિષ્ક્રિય - તટસ્થ છે. જેમ જમીન, અથવા નિસરણી, સ્થિર (નિષ્ક્રિય) છે, પણ ઊભા રહેવામાં કે, ઉપર ચડવામાં સહાયક બને છે. તે રીતે આ ત્રણે દ્રવ્યો સમજવાના છે.
ધર્માદિદ્રવ્યો પણ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય યુક્ત છે ઃ
પ્રકૃતસૂત્રની શ્રીસિદ્ધસેનગણિકૃત ટીકામાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે–જૈન સિદ્ધાંત મુજબ દ્રવ્યમાત્ર ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્ય (ઉત્પતિ, નાશ અને સ્થિતિના સ્વભાવ) યુક્ત જ હોય છે, તો અહીં નિષ્ક્રિય શા માટે જણાવ્યા ? ઉત્પત્તિ નાશની ક્રિયા તો તેમાં સ્વીકારેલી છે. દ્રવ્યમાત્રની તો તે વ્યાખ્યા defination છે. જો નિષ્ક્રિય કહેવા દ્વારા ઉત્પત્તિ નાશ ન માનો તો દ્રવ્યતા