________________
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
-
ભોગોમાં મજા આવતી નથી ? અને આત્મા વિગેરે હોય, તો કોઈને ચાંય દેખાયા છે ? આવા તર્કોના આધારે પુણ્ય - પાપ વિગેરે વાતો કપોલ કલ્પિત માને છે. પરંતુ તટસ્થતાપૂર્વક વિચારવામાં આવે તો, જેટલું દેખાય તેટલું જ માનો અને સ્વીકારો તો જગતનો વ્યવહાર પણ ચાલતો નથી. દૂધમાં ઘી, અને તલમાં તેલ, દેખાતું નથી, પણ ચોક્કસ પ્રક્રિયા દ્વારા તે પ્રાપ્ત થાય છે. માટે માનવામાં આવે છે, તેમ દેહમાં આત્મા છે. તેમ માનવું જોઈએ. મૃત્યુ પછીના શરીરની નિશ્ચેષ્ટતા અને જીવંત શરીરમાં વિશિષ્ટ કોટિની સક્રિયતા, ચેતન - આત્માનું અનુમાન કરાવે છે. જગતમાં જીવોના જુદા જુદા સ્વભાવ, બુદ્ધિ, રૂચિ, રોગીનિરોગીપણું, શ્રીમંત-ગરીબ, સાહેબ - નોકરપણું વિગેરે અઢળક વિવિધતાઓ, તે આત્માઓના પૂર્વના પુણ્ય - પાપને સિદ્ધ કરે છે. જીવોમાં જે વિવિધતાઓ દેખાય છે તે જોતાં, તેમજ જીવનમાં બનતી બીજી અનેક ધટનાઓમાં પ્રત્યક્ષ દેખાતા મહેનત-સંયોગો વિગેરે કારણો ઉપરાંત, કોઈ અદ્દશ્ય કારણ માન્યા વિના ચાલે એવું નથી. તે અદૃશ્ય કારણ તે આત્મા, અને તેની સાથે લાગેલ પુણ્ય-પાપ કર્મો. સર્વજ્ઞ કથિત પુણ્ય-પાપ, પરલોક, મોક્ષ વિગેરે જે શ્રદ્ધાગમ્ય છે, તે આ રીતે તર્કદ્વારા પણ સિદ્ધ છે. તેને માનવાથી બધુ સુવ્યવસ્થિત રીતે ઘટી શકે છે.
૯૮
જેવી રીતે અધ્યાત્મના વિષયમાં માત્ર તર્ક દ્વારા તત્ત્વનો નિર્ણય નથી થતો, તેવી રીતે ભૌતિકક્ષેત્રમાં પણ પ્રયોગ દ્વારા પરિપૂર્ણ જાણકારી પ્રાપ્ત થતી નથી. પૂર્વના પ્રયોગો દ્વારા જે સિદ્ધ થાય છે, તેને તેના પછીના પ્રયોગો, તેનાથી વિપરિત સિદ્ધ કરતા જોવાય છે. અથવા તો તેમાં સુધારા-વધારાને અવકાશ છે. આ રીતે વિજ્ઞાનના પ્રયોગો દ્વારા પણ અંતિમ સત્ય સુધી પહોંચી શકતું નથી. અંતિમ સત્ય તો સર્વજ્ઞના શાસ્ત્રોને અનુસરતા તર્કો દ્વારા જ સિદ્ધ થાય છે. માટે માત્ર તર્કવાદ અને પ્રયોગવાદથી બચીએ તેમાં જ આપણું શ્રેય છે.