________________
૮૪
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૧૬) સૂત્ર-૩ - પાંચ દ્રવ્યો નિત્ય, સ્થિર અને
અરૂપી
- વૈશેષિકમતના દ્રવ્યોનો, જૈનતત્ત્વજ્ઞાનના ૬ દ્રવ્યોમાં સમાવેશ - મન પણ પીદ્ગલિક છે. - ચંચળ મનને અધ્યાત્મક્રિયાઓ દ્વારા સ્થિર કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય
નિત્યવસ્થિત ચપળ . સૂ-રૂ I
અર્થ :- (પુદ્ગલ સિવાયના પાંચ દ્રવ્યો) નિત્ય છે, સ્થિર છે અને અરૂપી છે.
ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને જીવો, આ પાંચ દ્રવ્યો હંમેશા એકધારી એક જ અવસ્થામાં સ્થિર રહે છે, તેથી તેઓને નિત્ય કહ્યા છે. તેઓ સ્થિર જ હોય છે માટે અવસ્થિત, અને રૂપ, રસ, ગંધ, સ્પર્શવગરના હોવાથી અરૂપી કહ્યા છે. પુદ્ગલદ્રવ્યમાં સતત ફેરફાર થયા કરે છે માટે તે અનિત્ય છે. જોકે સંસારી જીવની પણ અવસ્થામાં ફેરફાર થાય છે, પરંતુ તે ફેરફાર જીવની સાથે જોડાયેલા ભૌતિક શરીરોનો જ છે. મૂળભૂત જીવદ્રવ્યનો તે ફેરફાર નથી. અથવા સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી લોકાગ્રે રહેલા સિદ્ધ પરમાત્માઓ નિત્ય, સ્થિર અને અરૂપી હોય છે.
ધર્મ, અધર્મ અને લોકાકાશ આ ત્રણે દ્રવ્યો એક સમાન વ્યાપવાળા છે. એક જ સ્થાનમાં ત્રણે એક સાથે રહેલા છે. એટલે કે લોકાકાશનો એક પ્રદેશ (અવિભાજ્ય અંતિમ એકમ) જયાં છે, ત્યાં જ ધર્મ અને અધર્મનો એક