SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) સૂત્ર-૩ :- પાંચ દ્રવ્યો નિત્ય, સ્થિર અને અરૂપી ૮૫ પ્રદેશ પણ રહેલો છે, છતાં ત્રણેય સ્વતંત્ર છે, ત્રણેના કાર્ય જુદા છે, તેમજ તેઓ સદા માટે સ્થિર છે, કોઈ ગતિ કરતા નથી. નિષ્ક્રિય રહીને ક્રમસર (જીવ અને પુદ્ગલને) ગતિ અને સ્થિતિમાં સહાયકપણું બજાવે છે. સિદ્ધિગતિના અનંત જીવો, લોકાકાશની ઉ૫૨ છેડે ૪૫ લાખ યોજન વિસ્તારમાં, પોતાના પરિમિત વ્યાપ મુજબ, સ્થિર રહેલા છે. તેઓ પણ દરેક સ્વતંત્ર છે અને જ્ઞાન,દર્શન અને પરમઆનંદના ગુણધર્મવાળા છે. તેથી તેઓને નિત્ય, અવસ્થિત અને અરૂપી કહ્યા. અન્ય દર્શનના નવદ્રવ્યોનો છમાં સમાવેશ ઃ : અન્ય ભારતીયદર્શન વૈશેષિક અથવા કણાદ્ભુત મુજબ નવ દ્રવ્ય બતાવેલા છે. શ્રી તર્કસંગ્રહ સૂત્ર - ૨માં નવ દ્રવ્યોને વિશ્વના ઘટકભૂત દ્રવ્યો કહ્યા છે. “तत्र द्रव्याणि पृथिव्यप्तेजोवाय्वाकाशकाल दिगात्म मनांसि नवैव " અર્થ : પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, કાલ, દિશા, આત્મા અને મન, આ નવ દ્રવ્યો છે. જૈન મત મુજબ પૃથ્વી, પાણી, અગ્નિ, અને વાયુ, આ ચારનો પુદ્ગલદ્રવ્યમાં સમાવેશ થાય છે. પુદ્ગલો સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા છે. અહીં એટલું ખાસ જાણવું કે આ ચારમાંથી કોઈપણ સ્પર્શ કે, રસાદિ એક જ ગુણ, આપણી ઇન્દ્રિયવડે જણાતો હોય તો પણ ત્યાં અન્ય ત્રણ પણ વિદ્યમાન હોય જ છે. ઉત્કટ (તીવ્ર) હોય તો ઇન્દ્રિયવડે જણાય. ઇન્દ્રિયવડે જે ગુણો ન જણાય તે, અનુક્દ (મંદ) અવસ્થામાં અવશ્ય હોય છે. વાયુ અને અગ્નિ પણ પુદ્ગલ છે ઃ : વૈશેષિક મત મુજબ વાયુ, રૂપ (વર્ણ) વગરનો અને સ્પર્શવાળો કહ્યો છે, પણ વર્તમાન ભૌતિકશાસ્ત્રથી પણ આ વાત સિદ્ધ છે કે-વાયુને સતતશીત કરવા વડે આછો વાદળી રંગ તેમાં જણાય છે. આ સૂચવે છે કે
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy