________________
(૧૫) સૂત્ર - ૨ -પણું જીવદ્રવ્ય થોડા શાંત ચિત્તે વિચાર કરે તો જ્યાં સદા જીવવાનું છે અને જીવવા માટે કોઈની પરાધીનતા નથી, તે મોક્ષ છે. આત્મા, આત્માવડે, આત્મા માટે, આત્મામાંથી આત્માનું સુખ, આત્મામાં માણે છે, તે સિદ્વિપદ જૈન તત્ત્વજ્ઞાનમાં આપણા વાસ્તવિક સાધ્ય તરીકે બતાવ્યું છે. આત્માનું સ્વરૂપ જયાં પૂર્ણપણે ખીલેલું છે અને ત્યાં જ આપણું પોતાનું સ્વતંત્ર જીવન છે. સંસારમાં તો ડગલે ને પગલે ભૌતિકપદાર્થની પરાધીનતા છે.
સૂરિ રામની એવી વાણી, જૈનતત્ત્વજ્ઞાનથી લ્યો પહેચાની સંસારના વિચારો તે ચિંતા કહેવાય, આત્માના વિચારો એ ચિંતન કહેવાય.
આત્માની અશુદ્ધિ એ સંસાર, આત્માની શુદ્ધિ તે મોક્ષ. – શાસ્ત્રમુજબ પોતે ચાલે અને સૌને ચલાવે તે જ્ઞાની. – કુટુંબને પાળવું તે ધર્મનહિ, પણ કુટુંબને પ્રભુના માર્ગે રાખવું તે ધર્મ. - સુખ ગમે છે માટે છોડાતું નથી, દુઃખ ગમતું નથી માટે વેઠાતુ નથી.
અને ધર્મ આ કારણે જ સારી રીતે થઈ શકતો નથી. પાપની તાકાત તોડી નાખવાની શકિત કાળજીપૂર્વકની કબૂલાતમાં રહેલી છે. પાપની કબૂલાત અને પાપનો પશ્ચાત્તાપ કરો, પાપની ઘણી તાકાત તૂટી જશે.