________________
૮૧
(૧૫) સૂત્ર - ૨:-પમું જીવદ્રવ્ય વૈજ્ઞાનિકો અને મનોવિજ્ઞાનીઓએ ભારત, અને ભારત બહાર અભ્યાસ કર્યો છે, અને તે વિષે અઢળક એવા કિસ્સાઓ બહાર પડ્યા છે. જે પ્રમાણિત અને વિશ્વાસ પાત્ર છે. હમણાંના પેરાસાયકોલોજી (Parapsychology) ના સંશોધનોએ આત્મા અને તેના પુનર્જન્મને પ્રમાણોદ્વારા પુષ્ટ કર્યું છે. જીવની જિજિવિષા પ્રબલ છે.
સંસારી જીવના જન્મ-મરણ-જીવનક્રિયાઓ ખરેખર જીવના મૂળ સ્વભાવ નથી, પણ કર્મભનિત વિભાવ છે. વિકૃતિ છે. કોઈ જીવ મરવાને ઇચ્છતો નથી અને દરેક જીવ સદા જીવવાને જ ઇચ્છે છે, અને તે પણ સુખમય જીવન જ ઇચ્છે છે. દુઃખ તેને જોઈતું નથી. સદા જીવવાનું અને સંપૂર્ણ સુખમય અને બિલકુલ દુઃખ વગરનું જીવન જે ખરેખર દરેક જીવને જોઈએ છે. સંસારના સુખની સઘળી ઇચ્છાઓ તેવા જીવન માટેની જ છે પરંતુ તે સુખ અપૂર્ણ છે. તેમ છતાં તેનાથી ચલાવી લે છે, કારણ કે પૂર્ણસુખમય જીવન(મોક્ષ)ની તેને શ્રદ્ધા થતી નથી. જે જીવન સિદ્ધિપદમાં છે. જગતના જીવોને સિદ્ધિપદના લેશ માત્ર દુઃખ વિનાના અને પૂર્ણ ચૈતન્ય સુખ માટે પ્રોત્સાહિત કરવાનો જૈન તત્ત્વજ્ઞાનનો ઉદ્દેશ્ય છે. દરેક પ્રાણીમાં જિજિવિષા પ્રબલ હોય છે તે પ્રસિદ્ધ વાત પણ સિદ્ધિપદમાં જ શક્ય બને છે. જિજિવિષાની (જીવવાની ઇચ્છા) પ્રબળતા સમજવા એક લૌકિક દૃષ્ટાંત
છે.
એક કઠિયારો રોજ સવારે જંગલમાં જઈને લાકડા કાપી લાવતો અને એ વેચવાથી જે પૈસા મળે તેમાંથી જ પોતાનું ગુજરાન ચલાવતો. રોજનો આ ક્રમ હતો અને વર્ષોથી ચાલ્યા કરતો. એક દિવસ પણ ચૂકી જવાય તો તકલીફ થતી. વૃદ્ધાવસ્થામાં શરીર થાકવાથી આટલી સખત મજૂરીથી કંટાળો આવતો. થાક અને નિરાશાની પળોમાં એનાથી બોલાઈ જતુ કે-હે ભગવાન! હવે મને ઉઠાવી લે તો સારું, આવી કષ્ટભરી જિંદગી કરતાં તો મોત સારું, મારાથી નાનાને ઉઠાવી લે છે ને મારા તો