________________
૭૮
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ((૧૫) સૂત્ર - ૨ - પમું જીવદ્રવ્યો
– ઈચ્છા, લાગણી આદિનો પ્રોટીન અને DNA RNA સાથે સંબંધ
નથી. -> આત્મા સ્વતંત્ર અલગ દ્રવ્ય છે. - જ્યાં સદા જીવવાનું છે અને જીવવા માટે કોઈ ચીજની પરાધીનતા
નથી તે સિદ્ધિપદ છે.
(દ્રવ્યાળિ નીવાશ રા) નિગોદમાં અનંત જીવો છે -
વીતરાગ સર્વજ્ઞ ભગવંતે ફરમાવેલા વિશ્વના ઘટકભૂત છ દ્રવ્યમાં, પાંચમા જીવદ્રવ્યનું વર્ણન આપણે જોઈ રહ્યા છીએ. અનાદિવિશ્વમાં અનંતાનંત આત્માઓ છે. વ્યવહારરાશિમાં આવેલા જે જીવો સર્વજ્ઞકથિત સાધના માર્ગને અપનાવી કર્મનો ક્ષય કરે તેઓ સિદ્ધિપદ પામી કૃતાર્થ બની જાય છે. સંસારથી પાર પામી સિદ્ધિપદ પામવાની પ્રક્રિયા, એ આત્માના આંતરિક મલિનતાના નાશની પ્રક્રિયા છે. દૂધમાંથી ઘી બનવાની, કે બીજમાંથી વૃક્ષ બનાવાની એક નિશ્ચિત પ્રક્રિયા હોય છે. તેની જેમ સાધના દ્વારા આત્માની શુદ્ધિની, એટલેકે મોક્ષ પ્રાપ્તિની નિશ્ચિત પ્રક્રિયા છે. વ્યવહારરાશિના જે સંસારી જીવો તત્ત્વજ્ઞાન દ્વારા કર્મક્ષય કરી મુક્તિપદમોક્ષને પામે છે ત્યારે, જેટલા જીવ મોક્ષે જાય, તેટલા બીજા જીવો અવ્યવહારરાશિની નિગોદમાંથી છૂટી વ્યવહારરાશિમાં આવે છે, એટલે સંસાર
ક્યારેય ખાલી થતો નથી. અનંતકાળ સુધી આ પ્રક્રિયા ચાલ્યા કરશે તો પણ, નિગોદ ક્યારેય ખાલી થશે નહિ, એટલા અનંતાનંત જીવો અવ્યવહારરાશિની નિગોદમાં છે.