________________
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પૃ૧૮૪થી ૨૧૬)
શરીરમાં જણાતી ઉષ્ણતા (ખોરાકનું પાચન કરી રસ, રૂધિર,માંસ, મેદ, અસ્થિ, મજા અને વીર્ય આ સાતધાતુનાં) શરીરની રચનામાં કારણ છે. તેજપૂંજ (Aura) પણ આના કારણે જ રચાય છે. આ તૈજસ શરીર એ, બાહ્ય ઔદારિક શરીર અને આંતરિક કાર્મણશરીર પર લદાયેલ તેજોમય પુદ્ગલ પદાર્થનું પહેરણ છે. તે તેની આસપાસ આવરણ અથવા પ્રકાશનો તેજપૂંજ રચે છે. તે ૪થી (૮મી) તૈજસવર્ગણાના પુદ્ગલ
સ્કંધોની રચના છે. મૃત્યુ એ, તેના બે અંત શરીર, કાર્પણ અને તૈજસશરીર સાથે, આત્માનું બાહ્ય શરીરમાંથી પ્રસ્થાન સૂચવે છે. આ સઘળું વર્ણન એમ જ સૂચવે છે કે વૈજ્ઞાનિકોએ પ્રયોગો દ્વારા જે જણાવ્યું તે આત્માને મળતું આવતું એક ભૌતિક પ્રતિરૂપ છે. જૈન તત્ત્વજ્ઞાન આત્માને અલગ અમૂર્ત દ્રવ્ય માને છે. મનુષ્ય જીવન આત્માના પૂર્ણ વિકાસ માટેનું અનન્ય સાધન છે :
જૈન તત્ત્વજ્ઞાનમાં સ્વતંત્ર આત્મદ્રવ્યો અનંતા માન્યા છે. જે સૂક્ષ્મનિગોદના ગોળા રૂપે છે. સર્વત્ર વિશ્વમાં વ્યાપ્ત છે. આવા અસંખ્યાતા નિગોદજીવોના શરીરો છે. તે દરેક શરીરમાં અનંત જીવો રહેલા છે. તેને સાધારણ સૂક્ષ્મવનસ્પતિકાય કહે છે. આપણે સર્વે, નાના મોટા દરેક જીવો, આ નિગોદમાંથી આવેલા છીએ. એ અનાદિ સૂફમનિગોદને અવ્યવહારરાશિ કહેવાય છે. તેમાંથી બહાર નીકળેલા જીવો વ્યવહારરાશિના જીવો ગણેલા છે.
વ્યવહારરાશિના સંસારી જીવમાંથી એક જીવ સર્વકર્મથી મુક્ત બની શુદ્ધ પરમાત્મ સ્વરૂપને પામે – સિદ્ધિગતિને પામે ત્યારે, એક જીવ અનાદિ નિગોદ (અવ્યવહારરાશિ) અવસ્થામાંથી વ્યવહારરાશિમાં આવે છે. તે પછી એકેન્દ્રિય, બેઇન્દ્રિય વિગેરેમાંથી કર્મ ખપાવતાં પંચેન્દ્રિય, મનુષ્ય, પશુ, નરક, દેવ વિગેરે અવસ્થાને પામતાં શુભાશુભ કર્મ દ્વારા વિકાસ કરે છે. મનુષ્યની વિકસિત અવસ્થા સુધી પહોંચેલો જીવ જો