________________
૭૫
(૧૪) સૂત્ર - ૨ :- ૫મું જીવદ્રવ્ય
હોય. તે સિવાયના સમય દરમિયાન મોટે ભાગે વિદ્યુતભાર સરખો રહ્યો.' માનવીય ઘટનાઓમાં તેઓએ સમાન નિયમ જળવાતો જોયો અને લખ્યું કે “બાળકો ચોક્કસ વિદ્યુતભાર સાથે જન્મે છે અને મૃત્યુ પછી તે નાશ પામે છે. માનવનો સરેરાશ વિદ્યુતભાર તેઓએ ૫૦૦ વોલ્ટ નોંધ્યો. જેમ તે વૃદ્ધ થયો તેમ તેની ઉંમર સાથે વિદ્યુતભાર ન વધ્યો પરંતુ તેની પ્રકૃતિના વિકાસ પ્રમાણે વધતો હતો. જંગલી પ્રાણીઓમાં વિદ્યુત ભાર નીચો તેમજ ગાંડપણના કિસ્સાઓમાં અતિ નીચો હતો. જન્મ સમયે માદા બાળક કરતા નરમાં વિદ્યુતભાર ઊંચો હતો. પરંતુ નર કરતાં માદા કેટલાક ગુણો પકડી શકતી અને વટાવી પણ શકતી.”
તેજસ શરીર Aura તેજપૂંજ :
તેઓ શોધે છે, મૃત્યુ વખતે વિદ્યુતભાર ક્યાં જાય છે ? ઉર્જા નાશ પામી ન શકે પણ અન્ય સ્વરૂપમાં વિદ્યમાન હોવી જોઈએ. આજુબાજુના વાતાવરણમાંથી આ ઉર્જા શોધવા પ્રયત્ન કર્યો. જો કે હમણાંના સંશોધનો મુજબ Aura તેજપૂંજનો ફોટોગ્રાફ લઈ તેના દ્વારા આવનારા અને થતા રોગનું અનુમાન કરી શકાય છે. (વિશેષવિગત જુઓ લેખ ૩૮ પૃ ૨૧૦થી ૨૧૪)
આ સઘળા વર્ણનો પણ સૂક્ષ્મ ભૌતિકપદાર્થના અસ્તિત્ત્વ તરફ દોરી જાય છે. વાસ્તવમાં તે આત્મા કે જીવના ગુણધર્મો નથી. કારણકે જીવ અમૂર્ત - અરૂપી છે. તે કોઈ પણ ભૌતિક કે અજીવ પદાર્થના ગુણધર્મને ધરાવતો નથી. જૈન તત્ત્વજ્ઞાનમાં સંસારી સર્વજીવો કર્મપુદ્ગલના સંયોગસહિત છે. આ જીવો સાથે સંકળાયેલા પાંચ ભૌતિકશરીર પૈકીનું જે તૈજસશરીર માનેલું છે, તે છે. આત્મા તે ભૌતિકશ૨ી૨થી અલગ અરૂપીદ્રવ્ય છે. તૈજસશરીર અને કાર્યણ શરીર, આ બે શરીર દરેક જીવની સાથે અન્ય ગતિમાં મૃત્યુ થવા છતાં સાથે જ જાય છે. તે સૂક્ષ્મશરીર હોય છે તદુપરાંત ઔદારિક શરીર-વૈક્રિય શરીર અને આહારક શરીર, આ પાંચ સંસારી જીવોના શરીરો છે. (જુઓ લેખ ૩૪થી ૩૮