SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) પ્રમાણ જ્ઞાન - (૧) પ્રમાણ જ્ઞાનથી જ યથાર્થ નિર્ણય થવો કહ્યો છે. જે જ્ઞાન દ્વારા વસ્તુનું સ્વરૂપ અયથાર્થ ભાસે તો જ્ઞાનનું નામ જ અપ્રમાણજ્ઞાન છે. તેના ત્રણ ભેદ છે. (૧) સંશય (૨) વિપર્યય (૩) અનધ્યવસાય. (૨) સંશય : ‘આ પ્રમાણે છે કે આ પ્રમાણે છે' એવું જે પરસ્પર વિરુધ્ધતાપૂર્વક બે પ્રકારરૂપ જ્ઞાન તેને સંશય કહે છે. દા.ત. આત્મા પોતાના કાર્યને કરી શકો હશે કે જડના કાર્યને કરી શકતો હશે એવું જાણવું તે સંશય, (૩) (૪) (૫) (૬) વિપર્યય : વસ્તુસ્વરૂપથી વિરુધ્ધતાપૂર્વક આ આમ જ છે' એવું એકરૂપ જ્ઞાન તેનું નામ વિપર્યય છે. દા.ત. શરીરને આત્મા જાણવો તે. (c) અનધ્યવસાય : ‘કંઈક છે' એવો નિર્ધાર રહિત વિચાર તેનું નામ અનધ્યવસાય છે. જેમકે 'હું કાંઈક છું' એમ માનવું તે અનધ્યવસાય છે. શાસ્ત્રોનો શ્રવણ, ધારણ, વિચારણા, આમ્નાય અને અનુપેક્ષા પૂર્વક અભ્યાસ કરે તેથી સર્વ કલ્યાણનું મૂળ કારણ એક આગમનો યથાર્થ અભ્યાસ છે. સભ્યજ્ઞાન જ પ્રમાણજ્ઞાન છે. પ્રમાણજ્ઞાનના ૧૩ ભેદ છે. (૧) કેવળજ્ઞાન (૨) મન:પર્યયજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) સ્પર્શન (૫) રસના (૬) ધ્રાણ (૭) ચક્ષુ (૮) શ્રોત્રજ્ઞાન (૯) સ્મૃતિજ્ઞાન (૧૦) પ્રત્યભિજ્ઞાન (૧૧) તર્કજ્ઞાન (૧૨) અનુમાન (૧૩) આગમજ્ઞાન અનુમાન જ્ઞાન : પ્રત્યક્ષ અનુમાનના આશ્રય સહિત આગમમાં લખેલી પ્રયોજનભૂત રકમની પરીક્ષા કરવી તેનું નામ ‘વિચાર' છે. - જે સર્વજ્ઞનું સ્વરૂપ છે તે તો મુળ પ્રયોજનભૂત રકમ છે માટે પરીક્ષા કર્યા સિવાય કેવળ આગમના આશ્રયથી જ તેની પ્રતીતિ કરતાં નિયમથી પ્રયોજનની સિધ્ધિ થાય નહિ. માટે જો સર્વજ્ઞદેવનો નિશ્ચય કરવો છે તો પહેલાં તેનાં નામ - લક્ષણાદિક આગમથી સાંભળીને પછી અનુમાનથી નિશ્ચય કરવો યોગ્ય છે. તે કેવી રીતે કરાય તે કહીએ છીએ. પ્રથમ તો પ્રમાતા, પ્રમાણ, પ્રમેય અને પ્રમિતિ એનું સ્વરૂપ ઠીક કરીને તમારે સર્વજ્ઞનો નિર્ણય કરવો ઈષ્ટ છે, પ્રમાતા : જાણનાર આત્મા પ્રમાણ : પ્રમેય : પ્રમિતિ : પ્રમાણનું ફળ. (૭) હવે તમે પ્રમાતા બનો, ત્યાં તેર પ્રમાણોમાં પાંચ ઈન્દ્રિયજ્ઞાન તથા પાંચ પરીક્ષ પ્રમાણ જ્ઞાન એ દશ પ્રમાણ તો તમારે છે. હવે જો તમારે સર્વજ્ઞનો નિશ્ચય કરવો છે તો અનુમાન પ્રમાણરૂપ પોતાના જ્ઞાનને બનાવો તથા તમે પ્રમાતા બની તમારા પ્રમાણરૂપ જ્ઞાનને સર્વજ્ઞના નિર્ણય તરફ લગાવો કે જેથી સાચો નિર્ણય થાય. સાચું જ્ઞાન જ્ઞેય, જણાવા યોગ્ય પદાર્થ ત્યાં પ્રથમ સાધ્ય સાધનની વ્યાપ્તિનું જ્ઞાન જે તર્ક પ્રમાણ તે પહેલાં થવું જોઈએ કારણ કે તે થતાં જ સાચું અનુમાન થાય છે. જેના વડે સાધ્ય સિધ્ધ થાય તેનું નામ સાધન છે અને સાધન છે તમારી વર્તમાન જ્ઞાનની પર્યાય-સ્વ તરફ વળેલી. (૧૬) (C)
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy