SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭ ૮૦. (૮૦ થી ૮૨) પુદ્ગલો જીવના પરિણામના નિમિત્તથી કર્મપણે પરિણમે છે, તેમ જ જીવ પણ પુદ્ગલકર્મના નિમિત્તથી પરિણમે છે. જીવ કર્મના ગુણોને કરતો નથી તેમ જ કર્મ જીવના ગુણોને કરતું નથી; પરંતુ પરસ્પર નિમિત્તથી બન્નેના પરિણામ જાણો. આ કારણે આત્મા પોતાના જ ભાવથી ર્તા (હેવાય) છે પરંતુ પુદ્ગલકર્મથી કરવામાં આવેલા સર્વ ભાવોનો ફ્ક્ત નથી. ૮૩. નિશ્ચયનો એમ મત છે કે આત્મા પોતાને જ કરે છે અને વળી આત્મા પોતાને જ ભોગવે છે એમ હે શિષ્ય1) તું જાણ. ૮૪. વ્યવહારનયનો એ મત છે કે આત્મા અનેક પ્રકારના પુદ્ગલકર્મને કરે છે અને વળી તે જ અનેક પ્રકારના પુદ્ગલકર્મને ભોગવે છે. ૮૫. જો આત્મા આ પુદ્ગલકર્મને ક્યે અને તેને જ ભોગવે તો તે આત્મા બે ક્રિયાથી અભિન્ન ઠરે એવો પ્રસંગ આવે છે. જે જિનમતથી પ્રમાણ નથી. ૮૬. જે થી આત્માના ભાવને અને પુદ્ગલના અભાવને - બન્નેને આત્મા ક્યે છે એમ તેઓ માને છે, તેથી એક દ્રવ્યને બે ક્રિયાહોવાનું માનનાચ મિથ્યાર્દષ્ટિ છે. ૮૭. વળી જે મિથ્યાત્વ કહ્યું તે બે પ્રકારે છે – એક જીવમિથ્યાત્વ અને એક અજીવમિથ્યાત્વ; અને એવી જ રીતે અજ્ઞાન, અવિરતિ, યોગ, મોહ અને ક્રોધાદિ કષાયો – આ સર્વ ભાવો જીવ અને અજીવના ભેદથી બબ્બે પ્રકારે છે. ૮૮. જે મિથ્યાત્વ, યોગ, અવિરતિ અને અજ્ઞાન અંજીવ છે તે તો પુદ્ગલકર્મ છે; અને જે અજ્ઞાન, અવિરતિ અને મિથ્યાત્વ જીવ છે તે તો ઉપયોગ છે. ૮૯. અનાદિથી મોહયુક્ત હોવાથી ઉપયોગના અનાદિથી માંડીને ત્રણ પરિણામ છે; તે મિથ્યાત્વ. અજ્ઞાન અને અવિરતિભાવ એ ત્રણ જાણવા. ૯૦. અનાદિથી આ ત્રણ પ્રકારના પરિણામવિક્કો હોવાથી. આત્માનો ઉપયોગ જોકે (શુદ્ઘનયથી) તે શુદ્ધ. નિરંજન (એક) ભાવ છે.તો પણ – ત્રણ પ્રકારનો થઈ તે ઉપયોગ જે વિધી) ભાવને પોતે રે છે તે ભાવનો તે ો થાય છે. ૯૧. આત્મા જે ભાવને રે છે તે ભાવનો તે ફ્ક્ત થાય છે; તે ફ્ક્ત થતાં પુદ્ગલદ્રવ્ય પોતાની મેળે કર્મપણે પરિણમે છે. - ૯૨. જે ૫૨ને પોતારૂપ ક્યે છે અને પોતાને પણ પર કરે છે તે અજ્ઞાનમય જીવ કર્મનો કર્તા થાય છે. ૯૩. જે પરને પોતારૂપ તો નથી અને પોતાને પણ પર તો નથી તે જ્ઞાનમય જીવ કર્મોનો અર્તા થાય છે અર્થાત્ ર્તા થતો નથી. ૯૪. ત્રણ પ્રકારનો આ ઉપયોગ 'હું દ્વેષ છું' એવો પોતાનો વિક્લ્પ કરે છે; તેથી આત્મા તે ઉપયોગરૂપ પોતાના ભાવનો ફ્ક્ત થાય છે. ૫. ત્રણ પ્રકારનો આ ઉપયોગ હું ધર્માસ્તિકાય આદિ છું' એવો પોતાનો વિક્લ્પ કરે છે. તેથી આત્મા તે ઉપયોગરૂપ પોતાના ભાવનો ફ્ક્ત થાય છે. ૯૬. આ રીતે મંદબુદ્ધિ અર્થાત્ અનાની અજ્ઞાન ભાવથી ૫૨ દ્રવ્યોને પોતારૂપ કરે છે અને પોતાને પર રે છે. ૯૭. આ (પૂર્વોક્ત) કારણથી નિશ્ચયના જાણનાચ જ્ઞાનીઓએ તે આત્માને કર્તા કહ્યો છે – આવું નિશ્ચયથી જે જાણે છે = તે (જ્ઞાની થઈ) કર્તૃત્વને છોડે છે. ૯૮. વ્યવહારથી જગતમાં આત્મા ઘડો, કપડું, રથ, ઈત્યાદિ વસ્તુઓને, વળી ઇંદ્રિયોને, અનેક પ્રકારનાં ક્રોધાદિ દ્રવ્યકર્મો અને ૨ારીદિ નોકર્મોને કરે છે. ૯૯. જો આત્મા ૫દ્રવ્યોને રે તો તે નિયમથી તે તન્મય અર્થાત્ પર વ્યમય થઈ જાય; પરંતુ તન્મય નથી તેથી તે તેમનો ફ્ક્ત નથી. ૧૦૦. જીવ ઘટને કરતો નથી, પટને તો નથી, બાકીનાં કોઈ દ્રવ્યો. (વસ્તુઓને) કરતો નથી; પરંતુ જીવના યોગ અને ઉપયોગ ઘટાદિને ઉત્પન્ન નાચેં નિમિત્ત છે, તેથી તેમનો હર્તા જીવ હેવાય છે. ૧૦૧. જે જ્ઞાનાવરણાદિક-પુદ્ગલદ્રવ્યોના પરિણામ છે તેમને જે આત્મા કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે. ૧૦૨. આત્મા જે શુભ કે અશુભ (પોતાના) ભાવને રે છે તે ભાવનો તે ખરેખર ફ્ક્ત થાય છે, તે (ભાવ) તેનું કર્મ થાય છે અને તે આત્મા તેનો (તે ભાવરૂપ કર્મનો) ભોક્તા થાય છે. શ્રી સમયસાર...... ૪
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy