SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ છે ૧૦૩. જે વસ્તુ (દ્રવ્ય) જે દ્રવ્યમાં અને ૩ માં વર્તે છે તે અન્ય દ્રવ્યમાં તથા ગુણમાં સંક્રમણ પામતી નથી (બદલાઈ કે અન્યમાં ભળી ક્તી નથી); અનારૂપે સંક્રમણ ન પામતી તે (વસ્તુ) બીજી વસ્તુને કેમ પરિણમાવી શકે? ૧૦૪. આત્મા પુદગલમય કર્મમાં દ્રવ્યને અને ગુણને કરતો નથી. તેમાં તે બન્નેને તો નથી તે તેનો ર્તા કેમ હોય? ૧૦૫. જીવ નિમિત્તભૂત બનતાં કર્મબંધનું પરિણામ થતું દેખીને, જીવે કર્મ કર્યું' એમ ઉપચાર માત્રથી ધેવાય છે. ૧૦. યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતાં ૨ાજાએ યુદ્ધ ક્યું એમ લોક (વ્યવહારથી)ષ્કહેછે જોવી રીત 'જ્ઞાનાવરણાદિ કર્મ જીવે કર" એમ વ્યવહારથી કહેવાય છે. ૧૦૭. આત્મા પુદ્ગલદ્રવ્યને ઉપજાવે છે. કરે છે. બાંધે છે. પરિણાવે છે અને ગ્રહણ છે – એ વ્યવહારનયનું ક્યન છે. ૧૦૮. જેમ રાજાને પ્રજાના દોષ અને ગુણને ઉત્પન્ન ક્રનાર વ્યવહારથી કહ્યો છે. તેમ જીવને પુદ્ગલદ્રવ્યના દ્રવ્ય ગુણનો ઉત્પન્ન કરનાર વ્યવહારથી હ્યો છે. ૧૦૯. (૧૦૯ થી ૧૧૨) ચાર સામાન્ય પ્રત્યયો નિશ્ચયથી બંધના કર્તા કહેવામાં આવે છે - મિથ્યાત્વ, અવિરતિ.. કષાય અને યોગ (એ ચાર) જાણવા. અને વળી તેમનો, આ તેર પ્રકારનો ભેદ કહેવામાં આવ્યો છે - મિથ્યાષ્ટિ (ગુણસ્થાન)થી માંડીને સંયોગીકેવળી ગુણસ્થાન) ના ચરમ સમય સુધીનો. આ પ્રત્યયો અથવા ગુણસ્થાનો) કે જેઓ નિશ્ચયથી અચેતન છે કારણ કે પુદગલકર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે તેઓ જો કર્મ કરે તો ભલે ક્રે; તેમનો (કર્મોનો) ભોક્તા પણ આત્મા નથી. જેથી આ 'ગુણ' નામના પ્રત્યયો કર્મ કરે છે તેથી જીવ તો કર્મનો અકર્તા છે અને 'ગુણો' જ કર્મોને કરે છે. ૧૧૩.(૧૧૩ થી ૧૧૫) જેમ જીવને ઉપયોગ અનન્ય અર્થાત્ એકરૂપ છે તેમ જ ક્રોધ પણ અનન્ય હોય તો એ રીતે જીવને અને અજીવને અનન્યપણું આવી પડ્યું. એમ થતાં આ જગતમાં જે જીવ છે તે જ નિયમથી તેવી જ રીતે અછવ કર્યો (બન્નેનું અનન્યપણું હોવામાં આ દોષ આવ્યો:) પ્રત્યય, નોકર્મ અને કર્મના એકપણામાં પણ આ જ દોષ આવે છે. હવે જો (આ દોષના ભયથી) તાચ મતમાં ક્રોધ અન્ય છે અને ઉપયોગસ્વરૂપ આત્મા અન્ય છે; તો જેમ ક્રોધ તેમ પ્રત્યયો. કર્મ અને નોકર્મ પણ આત્માથી અન્ય જ છે. ૧૧૬. (૧૧૭ થી ૧૨૦) આ પુદગલદ્રવ્ય જીવમાં સ્વયં બંધાયું નથી અને કર્મભાવે સ્વયં પરિણમતું ની એમ જો. માનવામાં આવે તો તે અપરિણામી ઠરે છે અને કર્મણવર્ગણાઓ કર્મભાવે નહિ પરિણમતાં. સંસારનો અભાવ ઠરે છે અથવા સાંખ્યમતનો પ્રસંગ આવે છે. વળી જીવ પુદગલદ્રવ્યોને કર્મભાવે પરિણાવે છે એમ માનવામાં આવે તો એ પ્રશ્ન થાય કે સ્વયં નહિ પરિણમતી એવી તે વર્ગણને ચેતન આત્મા કેમ પરિણમાવી શકે? અથવા જો પુદગલ દ્રવ્ય પોતાની મેળે જ કર્મભાવે પરિણમે છે એમ માનવામાં આવે, તો જીવ કર્મને અર્થાત પુદગલ દ્રવ્યને કર્મપણે પરિણાવે છે એમ કહેવું મિથ્યા કરે છે. માટે જેમ નિયમથી કર્મરૂપે પરિણમેલું પુદગલ દ્રવ્ય કર્મ જ છે તેવી રીતે જ્ઞાનાવરણાદિરૂપે પરિણમેલું પુદગલ દ્રવ્ય જ્ઞાનાવરણાદિ જ જાણો. ૧૨૧. (૧૨૧ થી ૧૨૫) આ છવ કર્મમાં સ્વયં બંધાયો નથી અને ક્રોધાદિભાવે સ્વયં પરિણમતો નથી એમ જો તારો મત હોય તો તે (જીવ) અપરિણામી ઠરે છે અને જીવ પોતે ક્રોધાદિભાવે નહિ પરિણમતાં સંસારનો અભાવ ઠરે છે અથવા સાંખ્યમતનો પ્રસંગ આવે છે. વળી પુગલકર્મ જે ક્રોધ તે જીવને ક્રોધપણે પરિણાવે છે એમ હું માને તો એ પ્રશ્ન થાય છે કે સ્વયં નહિ પરિણમતા એવા જીવને ક્રોધ કેમ પણિમાવી શકે? અથવા જો આત્મા પોતાની મેળે ક્રોધભાવે પરિણમે છે એમ તારી બુદ્ધિ હોય, તો ક્રોધ જીવને ક્રોધપણે પરિણમાવે છે એમ કહેવું મિથ્યા ઠરે છે, માટે એ સિદ્ધાંત છે કે ક્રોધમાં ઉપયુક્ત (જેનો ઉપયોગ ક્રોધાકરે પરિણમ્યો છે એવો) ક્રોધ જ છે. માનમાં ઉપયુક્ત આત્મા માન જ છે. માયામાં ઉપયુક્ત આત્મા માયા જ છે અને લોભમાં યુક્ત આત્મા લોભ જ છે. ૧૨૯. આત્મા જે ભાવને ક્રે છે તે ભાવરૂપ કર્મનો ક્ત થાય છે; જ્ઞાનીને તો તે ભાવ જ્ઞાનમય છે અને અજ્ઞાનીને અજ્ઞાનમય ૧૨૭. અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવ છે તેથી અજ્ઞાની કર્મોને ક્રે છે. અને જ્ઞાનીને તો જ્ઞાનમય (ભાવ) છે. તેથી જ્ઞાની કર્મોને તો નથી. • ૧૨૮.(૧૨૮ અને ૧૨૯) કરણ કે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે તેથી જ્ઞાનીના સર્વ ભાવો ખરેખર જ્ઞાનમય જ હોય છે. તેમ અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે તેથી અજ્ઞાનીના ભાવો અજ્ઞાનમય જ હોય છે. શ્રી સમયસાર... ૫
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy