SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ठाणणिसेज्जविहारा धम्मुवदेसो य णियदयो तेसिं । अरहंताणं काले मायाचारो व्व इत्थीणं ॥ ४४ ॥ ધર્મોપદેશ, વિહાર, આસન, સ્થાન શ્રી અર્હતને, વર્તે સહજ તે કાળમાં, માયાચરણ જ્યમ નારીને. ૪૪. અર્થ : તે અર્હત ભગવંતોને તે કાળે ઊભા રહેવું, બેસવું, વિહાર અને ધર્મોપદેશ, સ્ત્રીઓને માયાચારની માફક, સ્વાભાવિક જ-પ્રયત્ન વિના જ-હોય છે. पुण्णफला अरहंता तेसिं किरिया पुणो हि ओदइया । मोहादीहिं विरहिया तम्हा सा खाइग त्ति मदा ॥ ४५ ॥ છે પુણ્યફળ અર્હત, ને અદ્વૈતકિરિયા ઉદયિકી; મોહાદિથી વિરહિત તેથી તે ક્રિયા ક્ષાયિક ગણી. ૪૫ અર્થ : અદ્ભુતભગવંતો પુણ્યના ફળવાળા છે અને તેમની ક્રિયા ઔદયિકી છે; મોહાદિકથી રહિત છે તેથી તે ક્ષાયિકી માનવામાં આવી છે. सो सुहव असुण हवदि आदा सयं सहावेण । संसारो विण विज्जदि सव्वेसिं जीवकायाणं ॥ ४६ ॥ આત્મા સ્વયં નિજ ભાવથી જો શુભ-અશુભ બને નહીં, તો સર્વ જીવનિકાયને સંસાર પણ વર્તે નહીં! ૪૬. અર્થ : જો એમ માનવામાં આવે કે આત્મા સ્વયં સ્વભાવથી (-પોતાના ભાવથી) શુભ કે અશુભ થતો નથી (અર્થાત્ શુભાશુભ ભાવે પરિણમતો જ નથી) તો સર્વ જીવનિકાયોને સંસાર પણ વિદ્યમાન નથી એમ ઠરે ! जं तक्कालियमिदरं जाणदि जुगवं समंतदो सव्वं । अत्थं विचित्तविसमं तं णाणं खाइयं भणियं ॥ ४७ ॥ સૌ વર્તમાન-અવર્તમાન, વિચિત્ર, વિષમ પદાર્થને યુગપદ સરવતઃ જાણતું, તે જ્ઞાન ક્ષાયિક જિન કહે. ૪૭. અર્થ : જે જ્ઞાન યુગપદ્ સર્વતઃ (સર્વ આત્મપ્રદેશેથી) તાત્કાલિક કે અતાત્કાલિક, વિચિત્ર(-અનેક પ્રકારના) અને વિષમ (મૂર્ત, અમૂર્ત આદિ અસમાન જાતિના) સર્વ પદાર્થોને જાણે છે, તે જ્ઞાનને ક્ષાયિક કહ્યું છે. जो ण विजाणदि जुगवं अत्थे तिक्कालिगे तिहुवणत्थे । णादुं तस्स ण सक्कं सपज्जयं दव्वमेगं वा ॥ ४८ ॥
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy