SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ અર્થ :વળી જેવી રીતે-તે જ પુરુષ, સમસ્ત તેલ આદિ સ્નિગ્ધ પદાર્થને દૂર કરવામાં આવતાં, બહુ રજવાળી જગ્યામાં શસ્ત્રો વડે વ્યાયામ કરે છે, અને તાડ, તમાલ, કેળ, વાંસ, અશોક વગેરે વૃક્ષોને છેદે છે, ભેદે છે, સચિત્ત તથા અચિત્ત દ્રવ્યોનો ઉપઘાત કરે છે; એ રીતે નાના પ્રકારના કરણો વડે ઉપઘાત કરતા તે પુરુષને રજનો બંધ ખરેખર ક્યા કારણે નથી થતો તે નિશ્ચયથી વિચારો. તે પુરુષમાં જે તેલ આદિનો ચીકાશભાવ હોય તેનાથી તેને રજનો બંધ થાય છે એમ નિશ્ચયથી જાણવું, શેષ કાયાની ચેષ્ટાઓથી નથી થતો. (માટે તે પુરુષના ચીકાશના અભાવના કારણે જ તેને રજ ચોંટતી નથી.) એવી રીતે -બહુ પ્રકારના યોગોમાં વર્તતો સમ્યગ્દષ્ટિ ઉપયોગમાં રાગાદિકને નહિ કરતો થકો કર્મરજથી લેપાતો નથી. जो दि हिंसामि य हिंसिज्जामि य परेहिं सत्तेहिं । सो मूढो अण्णाणी गाणी एत्तो दु विवरीदो ॥ २४७॥ અર્થ : ( હે ભાઇ ! ‘હું ક્ષયથી થાય છે રીતે કર્યું ? જે માનતો - હું મારું ને પર જીવ મારે મુજને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨૪૭. અર્થ : જે એમ માને છે કે ‘હું પર જીવોને મારું છું (-હણું છું) અને પર જીવો મને મારે છે’, તે મૂઢ (-મોહી) છે, અજ્ઞાની છે, અને આનાથી વિપરીત (અર્થાત્ આવું નથી માનતો) તે જ્ઞાની છે. आउक्खयेण मरणं जीवाणं जिणवरेहिं पण्णत्तं । आउं ण हरेसि तुमं कह ते मरणं कदं तेसिं ॥ २४८ ॥ आउक्खयेण मरणं जीवाणं जिणवरेहिं पण्णत्तं । आउं ण हरंति तुहं कह ते मरणं कदं तेहिं ॥ २४९ ॥ છે આયુક્ષયથી મરણ જીવનું એમ જિનદેવે કહ્યું, તું આયુ તો હરતો નથી, તે મરણ ક્યમ તેનું કર્યું ? ૨૪૮. છે આયુક્ષયથી મરણ જીવનું એમ જિનદેવે કહ્યું, તે આયુ તુજ હરતા નથી, તો મરણ ક્યમ તારું કર્યું ? ૨૪૯. પર જીવોને મારું છું’ એમ જે તું માને છે, તે તારું અજ્ઞાન છે.) જીવોનું મરણ આયુકર્મના એમ જિનવરોએ કહ્યું છે; તું પર જીવોનું આયુકર્મ તો હરતો નથી, તો તે તેમનું મરણ કઇ (હે ભાઈ ! ‘પર જીવો મને મારે છે’ એમ જે તું માને છે, તે તારું અજ્ઞાન છે.) જીવોનું મરણ આયુકર્મના ક્ષયથી થાય છે એમ જિનવરોએ કહ્યું છે; પર જીવો તારું આયુકર્મ તો હરતા નથી, તો તેમણે તારું મરણ કઈ રીતે કર્યું ?
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy