SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ સુદષ્ટિને ત્યમ વિષય અર્થે કર્મરજસેવન નથી, તો કર્મ પણ સુખજનક વિધવિધ ભોગને દેતાં નથી. ૨૨૭. અર્થ : જેમ આ જગતમાં કોઈ પુરુષ આજીવિકા અર્થે રાજાને સેવે છે તો તે રાજા પણ તેને સુખ ઉત્પન્ન કરનારા અનેક પ્રકારના ભોગો આપે છે, તેવી જ રીતે જીવપુરુષ સુખ અર્થે કર્મરજને સેવે છે તો તે કર્મ પણ તેને સુખ ઉત્પન્ન કરનારા અનેક પ્રકારના ભોગો આપે છે. વળી જેમ તે જ પુરુષ આજીવિકા અર્થે રાજાને નથી સેવતો તો તે રાજા પણ તેને સુખ ઉત્પન્ન કરનારા અનેક પ્રકારના ભોગો નથી આપતો, તેવી જ રીતે સમ્યગ્દષ્ટિ વિષય અર્થે કમરજને નથી સેવતો તો (અર્થાત્ તેથી) તે કર્મ પણ તેને સુખ ઉત્પન્ન કરનારા અનેક પ્રકારના ભોગો નથી આપતું. सम्माद्दिट्ठी जीवा णिस्संका होति णिब्भया तेण। सत्तभयविप्पमुक्का जम्हा तम्हा दु णिस्संका॥ २२८॥ સમ્યકત્વવંત જીવો નિઃશંકિત, તેથી છે નિર્ભય અને છે સમભયપ્રવિમુક્ત જેથી, તેથી તે નિઃશંક છે. ૨૨૮. અર્થ સમ્યગ્દષ્ટિ જીવો નિઃશંક હોય છે તેથી નિર્ભય હોય છે, અને કારણ કે સમ ભયથી રહિત હોય છે તેથી નિઃશંક હોય છે (અડોલ હોય છે). जो चत्तारि वि पाए छिंददि ते कम्मबंधमोहकरे। सो णिस्संको चेदा सम्मादिट्ठी मुणेदव्यो॥ २२९॥ જે કર્મબંધનમોહક પાદ ચારે છેદતો, ચિમૂર્તિ તે શંકારહિત સમકિતદષ્ટિ જાણવો. ર૨૯. અર્થ જે 'ચેતયિતા, કર્મબંધ સંબંધી મોહ કરનારા (અર્થાત્ જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો ભ્રમ કરનારા) મિથ્યાત્વાદિ ભાવો રૂપ ચારે પાયાને છેદે છે, તે નિઃશંક સમ્યગ્દષ્ટિ જાણવો. ૧. ચેતયિતા = ચેતનાર, જાણનાર-દેખનાર; આત્મા. जो दुण करेदि कंखं कम्मफलेसु तह सव्वधम्मेसु। सो णिकंखो चेदा सम्मादिट्ठी मुणेदव्वो॥ २३०॥ જે કર્મફળ ને સર્વધર્મ તણી ન કાંક્ષા રાખતો, ચિમૂર્તિ તે કાંક્ષારહિત સમકિતદષ્ટિ જાણવો. ૨૩). અર્થ જે ચેતયિતા કર્મોનાં ફળો પ્રત્યે તથા સર્વ ધર્મો પ્રત્યે કાંક્ષા કરતો નથી તે નિષ્કાંક્ષ સમ્યગ્દષ્ટિ જાણવો.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy