________________
૭૫
આત્મસ્વભાવનો અનુભવ થતાં જે જે અસ્થિરતાના વિભાવો હતા તે બધાથી છૂટીને જ્યારે આ આત્મા, વિજ્ઞાનઘન એટલે જેમાં કોઈ વિકલ્પો પ્રવેશ કરી શકે નહિ, એવા જ્ઞાનના નિબિડ પિંડરૂપ પરમાત્મા
સ્વરૂપ આત્માને અનુભવે છે ત્યારે તે પોતે જ સમ્યગ્દર્શન સ્વરૂપ છે. નિશ્ચય અને વ્યવહારઃ આમાં નિશ્ચય-વ્યવહાર બન્ને આવી જાય છે. અખંડ વિજ્ઞાનઘન સ્વરૂપ જ્ઞાનસ્વભાવી આત્માને નિશ્ચય છે અને પરિણતિને સ્વભાવ સન્મુખ કરવી તે વ્યવહાર છે. મતિ-શ્રુતજ્ઞાનને સ્વ તરફ વાળવાના પુરુષાર્થરૂપી જે પર્યાય છે તે વ્યવહાર છે, અને અખંડ આત્મસ્વભાવ તે નિશ્ચય છે. જ્યારે મતિ-શ્રુતજ્ઞાનને સ્વ તરફ વાવ્યાં અને આત્માનો અનુભવ કર્યો તે જ વખતે આત્મા સમ્યકપણે દેખાય છે - શ્રદ્ધાય છે. આ સમ્યગ્દર્શન પ્રગટવા વખતની વાત છે. સમ્યગ્દર્શન થતાં શુ થાય? સમ્યગ્દર્શન થતાં સ્વરસનો અપૂર્વ આનંદ અનુભવાય છે. આત્માનો સહજ આનંદપ્રગટ થાય છે. આત્મિક આનંદનો ઉછાળો આવે છે, અંતરમાં આત્મશાંતિનું વેદના થાય છે. આત્માનું સુખ અંતરમાં છે તે અનુભવમાં આવે છે; એ અપૂર્વ સુખનો રસ્તો સમ્યગ્દર્શન જ છે. હું ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ છું -એમ જે નિર્વિકલ્પ શાંતરસ અનુભવાય છે તે જ શુદ્ધાત્મા અથવા સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાન છે. અહીં તો
સમ્યગ્દર્શન અને આત્મા બન્ને અભેદ લીધાં છે. આત્મા પોતે સમ્યગ્દર્શન સ્વરૂપ છે. ૬. સમકિત વિષે શાસ્ત્રમાં વિવિધરૂપે નિરુપણ કરેલ છેઃ
સમ્યત્વની વ્યાખ્યા મુખ્યત્વે બે પ્રકારે છે (૧) નિશ્ચયથી (૨) વ્યવહારથી. નિશ્ચય (પરમાર્થ)ઃ
આત્માની સાચી ઓળખાણ થઈ તેનો અનુભવ થાય એ જ પરમાર્થ સમ્યકત્વ. આત્માના શ્રદ્ધા ગુણની નિર્મળ પરિણતિને જ સમ્યગ્દર્શન કહે છે.
વ્યવહાર :
૧. પાંચ અસ્તિકાય, છ દ્રવ્યો તથા જીવ-પુગલના સંયોગી પરિણામોથી ઉત્પન્ન આસવ, બંધ, પુષ્ય,
પાપ, સંવર, નિર્જરા અને મોક્ષ એ રીતે નવ પદાર્થોના વિકલ્પરૂપ વ્યવહાર સમ્યકત્વ છે. ૨. જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વોની જેમ છે તેમ યથાર્થ અટળ
શ્રદ્ધા કરવી તે વ્યવહાર સમ્યગ્દર્શન છે. ૩. સદ્ગુરુના વચનોનું સાંભળવું, તે વચનોનો વિચાર કરવો, તેની પ્રતીતિ કરવી, સત્ દેવ, સત્ ગુરુ,
સત્ શાસ્ત્રની સાચી શ્રદ્ધા કરવી તેને વ્યવહાર સમકિત કહેવામાં આવે છે. ૪. “હું જ્ઞાન-આનંદસ્વરૂપ ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું' એવું સ્વ-પરનું ભેદજ્ઞાન
કરી તેની શ્રદ્ધા કરવી તે પણ વ્યવહાર સમ્યકત્વ છે.