SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. આત્માની શ્રદ્ધા કરવી. ૬. દર્શન મોહનીયની ત્રણ પ્રકૃત્તિ ૧) સમ્યકત્વ મોહનીય ૨) મિશ્ર મોહનીય ૩) મિથ્યાત્વ મોહનીય અને ચારિત્ર મોહનીયના અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ – એ દર્શન સપ્તક એટલે કે મોહનીય કર્મની સાત પ્રકૃત્તિઓના ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષયથી પ્રાપ્ત શ્રદ્ધાગુણની નિર્મળ પરિણતિ. પ્ર. શું વ્યવહાર સમ્યગ્દર્શન નિશ્ચય સમ્યગ્દર્શનનું સાધક છે? ઉ.: પ્રથમ નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ થાય ત્યારે વિકલ્પપૂર્વક વ્યવહાર સમ્યગ્દર્શનનો અભાવ થાય છે. તેથી તે વ્યવહાર સમ્યગ્દર્શન ખરેખર નિશ્ચય સમ્યગ્દર્શનનું સાધક નથી, તો પણ તેને ભૂતનૈગમનથી સાધક કહેવામાં આવે છે, એટલે કે પૂર્વે જે વ્યવહાર સમ્યગ્દર્શન હતું તે નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ થતી વખતે અભાવરૂપ થાય છે, તેથી જ્યારે તેનો અભાવ થાય છે ત્યારે પૂર્વની વિકલ્પ સહિતની શ્રદ્ધાને વ્યવહાર સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. આ રીતે વ્યવહાર સમ્યગ્દર્શન તે નિશ્ચય સમ્યગ્દર્શનનું કારણ નથી, પણ તેનો અભાવ તે કારણ છે. વ્યવહારાભાસ સમ્યગ્દર્શનને કોઈ વાર વ્યવહાર સમ્યગ્દર્શન પણ કહેવામાં આવે છે. દ્રવ્યલિંગી મુનિને આત્મજ્ઞાન શુન્ય આગમજ્ઞાન, તત્ત્વાર્થ શ્રદ્ધાન અને સંયમભાવની એકતા પણ કાર્યકારી નથી. ‘જેને સ્વ-પરનું યથાર્થ શ્રદ્ધાન નથી પણ વીતરાગે કહેલા દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણેને માને છે તથા અન્ય મતમાં કહેલાં દેવાદિતથી તત્ત્વદિને માને નહિ - તો એવા કેવળ વ્યવહાર સમ્યકત્વ વડે તે નિશ્ચય સમ્યકત્વી નામ પામે નહિ.’ તેને ગૃહીત મિથ્યાત્વ ટળ્યું છે એ અપેક્ષાએ વ્યવહાર સમ્યત્વ થયું છે એમ કહેવાય છે, પણ તેને અગૃહીત મિથ્યાદર્શન છે માટે ખરી રીતે તેને વ્યવહારાભાસ સમગ્દર્શન છે. | મિથ્યાદષ્ટિ જીવને દેવ-ગુરુ-શાસ્ત્ર(ધર્માદિનું) શ્રદ્ધાનો આભાસ માત્ર હોય છે, તેના શ્રદ્ધાનમાંથી વિપરીત અભિનિવેશનો અભાવ થયો નથી, વળી તેને વ્યવહાર સમ્યકત્વ આભાસમાત્ર છે તેથી તેને જવ-ગુરુ-ધર્મ, નવ તત્ત્વાદિનું શ્રદ્ધાન છે તે વિપરીતાભિનિવેશ અભાવ માટે કારણ ન થયું; અને કારાગ થયાં વિના તેમાં સમ્યગ્દર્શનનો ઉપચાર સંભવતો નથી; તેથી તેને વ્યવહાર સમ્યગ્દર્શન પણ સંભવતું નથી, તેને વ્યવહાર સમ્યકત્વ માત્ર નામ નિક્ષેપથી કહેવામાં આવે છે. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનું શ્રદ્ધાન વ્યવહાર સમ્યગ્દર્શન છે : સમત્વની પ્રાપ્તિ માટે દેવ-ગુરુ-શાસ્ત્રનું યથાર્થ જ્ઞાન અને તેના સ્વરૂપનું યથાર્થ શ્રદ્ધાન હોવા જોઈએ. ૧. દેવ: જે વીતરાગ અને સર્વજ્ઞ છે તે જ સાચા દેવ છે. અરિહંત અને સિદ્ધ ભગવાન સાચા દેવ છે. જેમના રાગ-દ્વેષાદિ-મોહાદિ ક્ષય થઈ ગયા છે તે વીતરાગ છે, અલોકાકાશ સહિત છ દ્રવ્યોના
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy