SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ મોક્ષમાર્ગ તે પર્યાય છે. તેવી જ સમ્યગ્દર્શન પણ પર્યાય છે. ૧૯. ગુણ હોય તે ત્રિકાળ હોય અને પર્યાય હોય તે નવી પ્રગટે. ગુણ નવો પ્રગટે નહિ, પણ પર્યાય પ્રગટે. સમ્યગદર્શન તો નવું પ્રગટે છે, તેથી તે ગુણ નથી પણ પર્યાય છે. પર્યાયનું લક્ષણ ઉત્પાદ-વ્યય છે. ગુણનું લક્ષણ ધ્રુવ છે. શ્રદ્ધાળુણ ધ્રુવ છે. શ્રદ્ધાગુણની નિર્મળ પર્યાય એ સમ્યગ્દર્શન છે. ૨૦. જો કે નિશ્ચય નય અને સમ્યગ્દર્શન એ બન્ને જુદા જુદા ગુણોના પર્યાય છે તો પણ બન્નેનો વિષય એક છે - અર્થાત્ તે બન્નેનો વિષય એક અખંડ, શુદ્ધ, બુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, તેને બીજા શબ્દોમાં ‘ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ” કહેવામાં આવે છે. સમ્યગ્દર્શન કોઈ પરદ્રવ્ય, દેવ-ગુરુ-શાસ્ત્ર, નિમિત્ત, પર્યાય, ગુણભેદ કે ભંગ વગેરેને સ્વીકારતું નથી, કેમ કે તેનો વિષય ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ આત્મા જ છે. તેના આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટે છે. ૫. આત્મા પોતે સમ્યગ્દર્શન સ્વરૂપ છે? હું જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું” એ નિર્ણય કર્યા પછી તેનો પ્રગટ અનુભવ કેવી રીતે કરવો ? નિર્ણય અનુસાર શ્રદ્ધાનું આચરણ તે અનુભવ છે. પ્રગટ અનુભવ કરવા માટે પર તરફ વળતા ભાવ જે મતિ અને શ્રુતજ્ઞાન તેમને સ્વ તરફ એકાગ્ર કરવા, જે જ્ઞાન પરમાં વિકલ્પ કરીને અટકે છે તે જ જ્ઞાનને ત્યાંથી ખસેડીને સ્વભાવમાં વાળવું. મતિ અને શ્રુતજ્ઞાનના જે ભાવ છે તે તો જ્ઞાનમાં જ રહે છે, પરંતુ પહેલા જે ભાવો પર તરફ વળતાં, હવે તેને આત્મસન્મુખ કરતાં સ્વભાવનું લક્ષ થાય છે. આત્માના સ્વભાવમાં એકાગ્ર થવાના આ ક્રમસર પગથિયાં છે. પુરુષાર્થ વડે એકલા જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કર્યા પછી જે વિકલ્પોની વૃત્તિઓ ઉઠે છે તે આકુળતા - આત્મશાંતિની વિરોધની છે. મન સંબંધી અનેક પ્રકારના વિકલ્પો તેને પણ મર્યાદામાં લાવીને અર્થાત્ તે વિકલ્પોને રોકવાના પુરુષાર્થ વડે શ્રુતજ્ઞાનને પણ આત્મસન્મુખ કરતાં શુદ્ધાત્માનો અનુભવ થાય છે; આ રીતે મતિ અને શ્રુતજ્ઞાનને આત્મસન્મુખ કરવા એ જ સમ્યગ્દર્શન છે. શ્રુતજ્ઞાનને મર્યાદામાં લાવીને, અંતસ્વભાવ સન્મુખ કરીને, તે જ્ઞાનો દ્વારા એક જ્ઞાનસ્વભાવને પકડીને લક્ષમાં લઈને), નિર્વિકલ્પ થઈને, તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતાં જ શુદ્ધાત્માનો અનુભવ કરવો, તે અનુભવ જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. આ રીતે અનુભવમાં આવતો શુદ્ધાત્મા કેવો છે? શુદ્ધાત્મા આદિમધ્ય-અંત રહિત ત્રિકાળ એકરૂપ છે, તેમાં બંધ-મોક્ષ નથી, તે અનાકુળતા સ્વરૂપ છે, હું શુદ્ધ છું કે અશુદ્ધ છું -એવા વિકલ્પથી થતી જે આકુળતા તેનાથી રહિત છે. લક્ષમાંથી પુણ્ય-પાપનો આશ્રય છૂટીને એકલો આત્મા જ અનુભવરૂપ છે, કેવળ એક આત્મામાં પુણ્ય-પાપના કોઈ ભાવો નથી. જાણે કે આખા વિશ્વ પર તરતો હોય એટલે કે સમસ્ત વિભાવોથી જુદો થઈ ગયો હોય તેવો ચૈતન્ય સ્વભાવ છૂટો અખંડ પ્રતિભાસમય અનુભવાય છે. અનંત છે એટલે કે જેના સ્વભાવનો કદી અંત નથી; પુણ્ય-પાપ તો અંતવાળા છે, જ્ઞાનસ્વરૂપ અનંત અને વિજ્ઞાનઘન છે - એકલા જ્ઞાનનો જ પિંડ છે. એકલા જ્ઞાનપિંડમાં રાગ-દ્વેષ જરા પણ નથી. રાગનો અજ્ઞાનભાવે કર્તા હતો પણ સ્વભાવ ભાવે રાગનો કર્તા નથી. અખંડ
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy