SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ ૫. સમ્યગ્દર્શન એક નિર્મળ પર્યાય છે, પણ ‘હું એક નિર્મળ પર્યાય છું’ એમ સમ્યગ્દર્શન પોતે પોતાને જાણતું નથી. સમ્યગ્દર્શનનો વિષય અખંડ એક દ્રવ્ય જ છે. પર્યાય તે સમ્યગ્દર્શનનો વિષય નથી. નિશ્ચય સમ્યગ્દર્શન નિમિત્તને, અધૂરા કે વિકારી પર્યાયને, ભંગ-ભેદનો કે ગુણભેદને સ્વીકારતું નથીલક્ષમાં લેતું નથી. ૬. સમ્યગ્દર્શનનો વિષય એક પરિપૂર્ણ દ્રવ્ય જ છે, તે જ મોક્ષનું પરમાર્થ કારણ છે. ત્રિકાળી અખંડ વસ્તુ છે તે જ મોક્ષનું નિશ્ચયકારણ છે. એકરૂપ અખંડ વસ્તુ જ સમ્યગ્દર્શનનો વિષય છે. ૭. સમ્યગ્દર્શન તો એક નિશ્ચય(અભેદ સ્વરૂપ)ને જ સ્વીકારે છે અને સમ્યગ્દર્શનનું અવિનાભાવી (સાથે જ રહેતું) સમ્યજ્ઞાન નિશ્ચય અને વ્યવહાર બન્નેને બરાબર જાણીને વિવેક કરે છે. જો નિશ્ચયવ્યવહાર બન્નેને ન જાણે તો જ્ઞાન પ્રમાણ(સમ્યક્) થતું નથી. જ્ઞાન નિશ્ચય-વ્યવહારનો વિવેક કરે છે તેથી તે સમ્યક્ છે. અને દષ્ટિ વ્યવહારનું લક્ષ છોડીને નિશ્ચયને અંગીકાર કરે છે તો તે રામ્યક્ છે. ૮. સમ્યગ્દર્શન એ જ શાંતિનો ઉપાય છે. જ ૯. સંસારનો અભાવ સમ્યગ્દર્શનથી જ થાય છે. ૧૦. સ્વરૂપ જાગૃતિ તે ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી. સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે. ૧૧. સમ્યગ્દર્શન તે આત્માના ત્રિકાળી શ્રદ્ધાગુણની નિર્મળ પર્યાય છે. એક સમય પૂરતી પર્યાય છે. ૧૨. શ્રદ્ધા નામનો આત્માનો ગુણ છે અને સમ્યગ્દર્શન તે શુદ્ધ પર્યાય છે અને મિથ્યાદર્શન એ અશુદ્ધ પર્યાય છે. ૧૩. સમ્યગ્દર્શનને પર્યાય તરીકે જાણવું અને શ્રદ્ધાગુણ તો આત્મા સાથે ત્રિકાળ છે એમ વ્ય-ગુણને ત્રિકાળરૂપ જાણીને તેની પ્રતીત કરવી એનું નામ દ્રવ્યદૃષ્ટિ છે અને એ જ સમ્યગ્દર્શન છે. ૧૪. સમ્યગ્દર્શનની પર્યાય શ્રદ્ધાગુણમાંથી પ્રગટે છે અને શ્રદ્ધાગુણ આત્મા સાથે ત્રિકાળ છે -એમ ત્રિકાળ દ્રવ્યના લો સમ્યગ્દર્શનનો પુરુષાર્થ પ્રગટે છે. ૧૫. શ્રદ્ધાગુણની નિર્મળ પર્યાય તે સમ્યગ્દર્શન છે. એ વ્યાખ્યા ગુણ અને પર્યાયનો ભેદ સમજવા માટે છે. ગુણ ત્રિકાળી શક્તિ સ્વરૂપ હોય છે અને પર્યાય દરેક સમયે સમયે વ્યક્તરૂપે હોય છે. ગુણથી કાર્ય થતું નથી, પર્યાયથી કાર્ય થાય છે. ૧૬. સમ્યગ્દર્શન તો નવી પ્રગટતી પર્યાય છે. એનો જેણે નકાર કર્યો તેણે ખરેખર પોતાની નિર્મળ પર્યાય પ્રગટાવવાના પુરુષાર્થનો જ નકાર કર્યો છે. ૧૭. શાસ્ત્રોમાં પાંચ ભાવોનું વર્ણન કરતાં ઔપશમિક, ક્ષાયિક અને ક્ષાયોપમિક ભાવના ભેદમાં સમ્યગ્દર્શનને ગણાવ્યું છે. એ ઔપશમિકાદિ ભાવો તો પર્યાયરૂપ છે, તો પછી સમ્યગ્દર્શન પણ પર્યાયરૂપ જ છે. ૧૮. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે મોક્ષમાર્ગ છે. એમાં સમ્યગ્દર્શન પણ મોક્ષમાર્ગપ જ છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy