SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ર. ૨. સમજ્ઞાન - તમામ સમ્યગ્દષ્ટિઓને સમ્યપણાની અપેક્ષાએ જ્ઞાન એક જાતનું છે, પણ જ્ઞાન કોઈને હીન કોઈને અધિક હોય છે. તેરમે ગુણસ્થાનથી સિદ્ધ સુધીનું જ્ઞાન સંપૂર્ણ હોવાથી સર્વ વસ્તુઓને યુગપતું જાણે છે. નીચેના ગુણસ્થાનોમાં(ચારથી બાર સુધીમાં) જ્ઞાન ક્રમે ક્રમે થાય છે અને ત્યાં જો કે જ્ઞાન સમ્યક છે તો પણ ઓછું-વધતું છે, તે અવસ્થામાં જે જ્ઞાન ઉઘાડરૂપ નથી તે અભાવરૂપ છે; આ રીતે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનમાં તફાવત છે. ૩. સમગ્યારિત્ર - તમામ સમ્યગ્દષ્ટિઓને જે કાંઈ ચારિત્ર પ્રગટ્યું હોય તે સમ્યક છે. અને દસમાં ગુણસ્થાન સુધી જે પ્રગટ્યું નથી તે વિભાવરૂપ છે. તેરમા ગુણસ્થાને અનુજીવી યોગગુણ કંપનરૂપ હોવાથી વિભાવરૂપ છે, અને ત્યાં પ્રતિજીવી ગુણો બિલકુલ પ્રગટ નથી. ચૌદમા ગુણસ્થાને પણ ઉપાદાનની કચાશ છે તેથી ત્યાં ઔદયિક ભાવ છે. ૪. જ્યાં સમ્યગ્દર્શન છે ત્યાં સમજ્ઞાન અને સ્વરૂપાચરણ ચારિત્રનો અંશ અભેદરૂપ હોય છે અને ઉપર કહ્યા પ્રમાણે દર્શનગુણથી જ્ઞાનગુણનું જુદાપણું અને તે બન્ને ગુણથી ચારિત્રગુણનું જુદાપણું સિદ્ધ થયું, એ રીતે અનેકાન્ત સ્વરૂપ થયું. ૫. આ ભેદ પર્યાયાર્થિક નયથી છે, દ્રવ્ય અખંડ હોવાથી દ્રવ્યાર્થિક નયે બધા ગુણો અભેદ-અખંડ છે એમ સમજવું. ૪. સમ્યગ્દર્શનનું સત સ્વરૂપ ૧. સમ્યગ્દર્શન પોતે આત્માના શ્રદ્ધાગુણની નિર્વિકારી પર્યાય છે. અખંડ આત્માના લક્ષે સમ્યગ્દર્શન પ્રગટે છે. સમ્યગ્દર્શનને કોઈ વિકલ્પનું અવલંબન નથી, પણ નિર્વિકલ્પ સ્વભાવના અવલંબને રામ્યગ્દર્શન પ્રગટે છે. હું બંધાયેલો છું અથવા હું બંધ રહિત મુક્ત છું' એવા વિકલ્પોથી અથવા એવી વિચારશ્રેણીને ઓળંગી જઈને જે આત્માનો અનુભવ કરે છે તે જ સમ્યગ્દષ્ટિ છે અને તે જ રામયસાર અથવા શુદ્ધ આત્મા છે. ૨. ભેદના વિકલ્પ આવે, ગુણ-ગુણીના ભેદના વિકલ્પ હોય, છતાં તેનાથી સમ્યગ્દર્શન નથી. ભેદના વિકલ્પમાં અટકવું તે સમ્યગ્દર્શનનું સ્વરૂપ નથી. સ્વરૂપ તો જ્ઞાતા-દષ્ટા છે તેનો અનુભવ તે જ સમ્યગ્દર્શન છે. ૩. વિકલ્પ રાખીને નિર્વિકલ્પ સ્વરૂપનો અનુભવ થઈ શકે નહિ. અખંડ-આનંદ, અભેદ આત્માનું લક્ષ ન્ય દ્વારા થતું નથી. સ્વરૂપના અનુભવ કરવા ટાણે બધા જ વિકલ્પ છૂટી જાય છે. ભેદના લક્ષથી અભેદ આત્મસ્વરૂપનો અનુભવ થતો નથી. ૪. સમ્યગ્દર્શન નિર્વિકલ્પ સામાન્ય ગુણ છે, તેને એકલા નિશ્ચય અખંડ સ્વભાવ સાથે જ સંબંધ છે. અખંડ દ્રવ્ય જે ભંગ-ભેદ રહિત છે તે જ સમ્યગ્દર્શનને માન્ય છે. સમ્યગ્દર્શન પર્યાયને સ્વીકારતું નથી.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy