SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ જ્યાં જેવો પોતાનો વા શરીરાદિનો સ્વભાવ છે તેવો ઓળખી ભ્રમ છોડી તેને ભલા જાણી રાગ ન કરવો તથા બૂરા જાણી દ્વેષ ન કરવો એવી સાચી ઉદાસીનતા અર્થે અનિત્યાદિ ભાવનાઓનું ચિંતવન કરવું એ જ સાચી અનુપ્રેક્ષા છે. એ જ પ્રમાણે દુઃખના કારણો મળતાં દુઃ ખી ન થાય અને સુખનો કારણો મળતાં સુખી ન થાય પણ શેયરૂપથી તેનો જાણવાવાળો જ રહે તે જ સાચો પરિષહજય છે. તે જ પ્રમાણે મહાવ્રતાદિ ચારિત્ર તે વ્યવહાર ચારિત્ર છે. ખરેખર મહાવ્રતાપિ આસવભાવોને ચારિત્રપણું સંભવતું નથી પણ એ મહાવ્રતાદિ થતાં જ વીતરાગ ચારિત્ર થાય છે એવો સંબંધ જાણી, એ મહાવ્રતાદિમાં ચારિત્રનો ઉપચાર કર્યો છે. સર્વ કષાય રહિત જે ઉદાસીન ભાવ તેનું નામ ચારિત્ર છે. વળી તે અનશનાદિ તપથી નિર્જરા માને છે. પણ કેવળ બાહ્ય તપથી તો નિર્જરા થાય નહિ. બાહ્ય તપ તો શુદ્ધોપયોગ વધારવા અર્થે કરવામાં આવે છે. શુદ્ધોપયોગ નિર્જરાનું કારણ છે, તેથી ઉપચારથી તપને નિર્જરાનું કારણ કહ્યું છે-તપા નિર્નરાજ । શાસ્ત્રમાં તપની વ્યાખ્યા ફ્છા નિìયસ્તપઃ । ઈચ્છાને રોકવી તેનું નામ તપ છે. શુભ-અશુભ ઇચ્છા મટતાં ઉપયોગ શુદ્ધ થાય છે ત્યાં નિર્જરા થાય છે. ફળ અંતરંગ પરિણમનનું પામે છે, પરિણામ વિનાની શરીરની ક્રિયા ફળદાતા નથી. અંતરંગ તપોમાં પણ પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ત્યાગ અને ધ્યાનરૂપ ક્રિયામાં બાહ્ય પ્રવર્તન છે તે તો બાહ્ય તપ જેવું જાણવું પણ એવું બાહ્ય પ્રવર્તન થતાં જે અંતરં પરિણામોની શુદ્ધતા થાય છે તેનું નામ અંતરંગ તપ છે. એ પ્રમાણે અનશનાદિ ક્રિયાને તપસંજ્ઞા ઉપચારથી છે અને તેથી જ તેને વ્યવહાર તપ કહ્યું છે. એવા સાધનથી જે વીતરાગ ભાવરૂપ વિશુદ્ધતા થાય તે જ સાચું તપ નિર્જરાનું કારણ છે. નિશ્ચય ધર્મ તો વીતરાગ ભાવ છે. અન્ય અનેક પ્રકારના ભેદો બાહ્ય સાધનની અપેક્ષાએ ઉપચારથી કહ્યા છે તેને વ્યવહાર માત્ર ધર્મ સંજ્ઞા જાણવી. આ રહસ્યને જે જાણતો નથી તેને સંવરનિર્જરા તત્ત્વનું સાચું શ્રદ્ધાન નથી. ૭) મોક્ષ તત્ત્વ સંબંધી ભૂલ ઃ આત્માની પરિપૂર્ણ શુદ્ધદશાનું પ્રગટ થવું તે મોક્ષ છે. તેમાં આકુળતાનો અભાવ છે. પૂર્ણ સ્વાધીન નિરાકુળ સુખ છે; પરંતુ અજ્ઞાની એવું ન માનતાં, શરીર-મોજશોખમાં જ સુખ માને છે, તે અતીન્દ્રિય મોક્ષ સુખને માનતો નથી. વળી તે સિદ્ધ સુખ અને ઇન્દ્રાદિ સુખની એક જાતિ જાણે છે. જે ધર્મ સાધનનું ફળ સ્વર્ગ માને છે તે જ ધર્મ સાધનનું ફળ તે માક્ષ માને છે. ઇન્દ્રાદિને જે સુખ છે તે તો કષાય ભાવોથી આકુળતારૂપ છે તેથી પરમાર્થથી(તત્ત્વ દષ્ટિએ) તે દુઃખી જ છે, તેથી બન્ને સુખની જાતિ એક નથી. સ્વર્ગ સુખનું કારણ પ્રશસ્ત ૨ ગ છે જ્યારે મોક્ષસુખનું કારણ વીતરાગ ભાવ છે. આમ કારણમાં ભેદ છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy