SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ કથંચિત પરિણામીપણું એટલે શું?' જેમ સ્ફટિકમણિ છે તે જો કે સ્વભાવથી નિર્મળ છે તો પણ જાસૂદ પુષ્પ વગેરેની સમીપે પોતાની લાયકાતના કારણે પર્યાયાન્તર પરિણતિ ગ્રહણ કરે છે; પર્યાયમાં સ્ફટિકમણિ જો કે ઉપાધિનું ગ્રહણ કરે છે તો પણ નિશ્ચયથી પોતાનો જે નિર્મળ સ્વભાવ છે તેને તે છોડતો નથી. તેમ જીવનો સ્વભાવ પણ શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી તો સહજ શુદ્ધ ચિદાનંદ એકરૂપ છે, પરંતુ અનાદિ કર્મબંધરૂપ પર્યાયને પોતે વશ થવાથી તે રાગાદિ પરદ્રવ્ય ઉપાધિ-પર્યાયને ગ્રહણ કરે છે. પર્યાયમાં જીવ જો કે પર પર્યાયપણે(પરદ્રવ્યના લક્ષે થતાં અશુદ્ધ પર્યાયપણે) પરિણમે છે તો પણ નિશ્ચય નયથી શુદ્ધ સ્વરૂપને છોડતો નથી. પુદ્ગલ દ્રવ્યનું પણ તેમ જ થાય છે. આ કારણે જીવ-અજીવનું પરસ્પર અપેક્ષા સહિત પરિણમન હોવું તે જ કથંચિત પરિણામીપણું શબ્દનો અર્થ છે. આ રીતે જીવ તથા પુગલના સંયોગની પરિણતિ(પરિણામ)થી રચાયેલા બાકીના આગ્નવાદિ પાંચ તત્ત્વો સિદ્ધ થાય છે. જીવમાં આસવાદિ પાંચ તત્ત્વોના પરિણમન વખતે મુદ્રગલ કર્મરૂપ નિમિત્તનો સદ્ભાવ કે અભાવ હોય છે, અને પુલમાં આસવાદિ પાંચ તત્ત્વોના પરિણમનમાં જીવના ભાવરૂપ નિમિત્તનો સદ્ભાવ કે અભાવ હોય છે. આથી જ સાત તત્ત્વોને ‘જીવ અને પુગલના સંયોગની પરિણતિથી રચાયેલાં કહેવાય છે; પરંતુ જીવ અને પુદ્ગલની ભેગી પરિણતિ થઈને પાંચ તત્ત્વ થાય છે એમ ન સમજવું. વળી ક્યા તત્ત્વો હેય છે અને કયા તત્ત્વો ઉપાદેય છે તેનું પરિજ્ઞાન થાય એ પ્રયોજનથી આગ્નવાદિ તત્ત્વોનું નિરૂપણ કરવામાં આવે છે. અક્ષય અનંત સુખ તે ઉપાદેય છે, તેનું કારણ મોક્ષ છે, મોક્ષનું કારણ સંવર તથા નિર્જરા છે; તેનું કારણ વિશુદ્ધ જ્ઞાન-દર્શન સ્વભાવી નિજ આત્મતત્ત્વ સ્વરૂપના સમ્યક શ્રદ્ધાન-જ્ઞાન તથા આચરણ લક્ષણ સ્વરૂપ નિશ્ચય રત્નત્રય છે, તે નિશ્ચય રત્નત્રયને સાધવા માગનાર જીવે વ્યવહાર રત્નત્રય શું છે તે સમજીને પરદ્રવ્યો તેમજ રાગ ઉપરથી પોતાનું લક્ષ વાળવું જોઈએ, અને એ પ્રમાણે કરતાં નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટે છે તેના જોરે સંવર, નિર્જરા અને મોક્ષ પ્રગટે છે, માટે એ ત્રણ તત્ત્વ ઉપાદેય છે. આકુળતાને ઉત્પન્ન કરનારા એવા નિગોદ -નરકાદિ ગતિના દુઃખ તેમ જ ઇન્દ્રિયો દ્વારા ઉત્પન્ન થયેલ કલ્પિત સુખ તે હેય(છોડવા) લાયક છે; તેનું કારણ સંસાર છે, તે સંસારનું કારાગ આસ્રવ અને બંધ એ બે તત્ત્વો છે: પગ્ય અને પાપ બન્ને બંધ તત્ત્વ છે; તે આસ્રવ અને બંધના કારણ, પૂર્વે કરેલ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર એ ત્રણ છે. તેથી આસ્રવ અને બંધ તત્વો હોય છે. એ પ્રમાણે હેય-ઉપાદેય તત્ત્વોનું જ્ઞાન થવા માટે સાત તત્ત્વનું જ્ઞાનીઓ નિરૂપણ કરે છે. ૯. તત્ત્વ સંબંધી ભૂલોઃ જેને એક તત્વની શ્રદ્ધામાં ભૂલ હોય તેને બધા તત્ત્વોની શ્રદ્ધામાં ભૂલ હોય તેમ સમજવું.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy