SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ તત્ત્વનો વિચાર કરતાં જીવને માલૂમ પડે છે કે હું જીવ તત્ત્વ છું અને શરીર તથા જડ કર્મો મારાથી તદ્દન જુદાં ‘અજીવ તત્ત્વ” છે. હું તે અજીવમાં નથી અને તે અજીવ મારામાં નથી. તેથી હું તે અજીવનું કાંઈ કરી શકું નહિ, મારા જ ભાવ હું કરી શકું. વિધ વિધ પ્રકારે જિજ્ઞાસુ જીવો પ્રથમ રાગમિશ્રિત વિચાર દ્વારા જીવ-અજીવ તત્ત્વોનું સ્વરૂપ જાણીને, પોતામાં જે કાંઈ વિકાર થાય છે તે પોતાના જ દોષને કારણે છે એમ નક્કી કરે છે. આટલું જાણતા અવિકારી ભાવ શું છે તેનો પણ તેને ખ્યાલ આવે છે. પ્રથમ રાગ મિશ્રિત વિચાર દ્વારા આ તત્ત્વોનું જ્ઞાન કરીને પછી જ્યારે તે ભેદો તરફનું લક્ષ ટાળીને જીવ પોતાના ત્રિકાળી પારિમિક ભાવનો - જ્ઞાયક ભાવનો યથાર્થ આશ્રય કરે છે ત્યારે તેને શ્રદ્ધા ગુણનો ઔપથમિક ભાવ પ્રગટે છે. શ્રદ્ધા ગુણના પથમિક ભાવને ‘ઔપથમિક સમ્યગ્દર્શન’ કહેવામાં આવે છે. આ સમ્યગ્દર્શન પ્રગટતા જીવને ધર્મની શરૂઆત થાય છે. આ ઔપથમિક ભાવ અર્થાતુ સમ્યગ્દર્શનનું એવું માહાસ્ય છે કે જીવ પુરુષાર્થ વડે તેને એક વખત પ્રગટ કરે તે જીવને પોતાની પૂર્ણ પવિત્ર દશા(ક્ષાયિક ભાવ) પ્રગટ થયા વિના રહે જ નહિ. પ્રથમ બૌપથમિક ભાવ પ્રગટતાં ‘ઉન્મત' દશા ટળે છે. અર્થાત્ જીવની મિથ્યાત્વ દશા ટળીને તે સમ્યફ મતિ-શ્રુતજ્ઞાનરૂપ થઈ જાય છે. આ ઔપશમિક ભાવતે સંવર છે. પ્રથમ સમ્યગ્દર્શન ઔપથમિક ભાવે ૪ થતું હોવાથી ઔપથમિક ભાવનું માહાત્મ છે. જીવે તત્ત્વાદિકનો નિશ્ચય કરવાનો ઉદ્યમ કરવો, તેનાથી ઔપશમિકાદિ સમ્યકત્વ સ્વયં થાય છે. દ્રવ કર્મનો ઉપદમાદિક તે તો પુલની શક્તિ(પર્યાય) છે. જીવ તેનો હર્તા-કર્તા નથી. પુરુષાર્થપૂર્વક ઉદ્યમ કરવાનું કામ જીવનું છે. જીવ પુરુષાર્થ વડે જ્યારે તત્ત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો અભ્યાસ રાખે છે ત્યારે તેની વિશુદ્ધતા વધે છે, કર્મોનો રસ સ્વયં હીન થાય છે અને કેટલાક કાળે જ્યારે પોતાના પુરુષાર્થ વડે જીવમાં પ્રથમ ઔપથમિક ભાવે પ્રતીતિ પ્રગટે છે ત્યારે દર્શનમોહનો આપોઆપ ઉપશમ થાય છે. જીવનું કર્તવ્ય તત્ત્વના નિર્ણયનો અભ્યાસ છે. જીવ જ્યારે તત્વનિર્ણયમાં ઉપયોગ લગાવે ત્યારે દર્શનમોહનો ઉપશમ સ્વયં થાય છે, કર્મના ઉપશમમાં જીવનું કાંઈ જ કર્તવ્ય નથી. કથંચિત પરિણામી એટલે શું?: આ જાતમાં જીવ અને અજીવ એ દ્રવ્યો છે, અને તેમના પરિણમનથી આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ તત્ત્વો થાય છે. હવે અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે હે ગુરુદેવ! જો જીવ અને અજીવ એ બન્ને દ્રવ્ય એકાંતે (સર્વથા) પરિણામી જ હોય તો તેમના સંયોગ પર્યાયરૂપ એક જ પદાર્થ સિદ્ધ થાય છે અને જો તે અપરિણામી હોય તો જીવ અને અજીવ એવા બે જ પદાર્થો સિદ્ધ થાય છે. જો આમ છે તો આસવ દિ તત્ત્વો કઈ રીતે સિદ્ધ થાય છે? થી ગુરુ તેને ઉત્તરમાં કહે છે કે જીવ અને અજીવ દ્રવ્યો કથંચિત પરિણામી' હોવાથી બાકીના પાંચ તત્વોનું કથન ન્યાયયુક્ત સિદ્ધ થાય છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy