________________
૩૯
૭. જીવના ભાવો અને સમ્યગ્દર્શનઃ
જીવના ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક, ઔદયિક અને પારિણામિક એ પાંચ ભાવો નિજ ભાવ ૨૭ છે તે જીવ સિવાય બીજા કોઈમાં હોતા નથી, માટે જીવ તત્વના વિચાર સાથે એમનો પણ વિચાર કરવો જોઈએ. ૧) ઔપથમિક ભાવ: આત્માના પુરુષાર્થથી અશુદ્ધતાનું પ્રગટન થવું અર્થાત્ દબાઈ જવું તે; આત્માના આ ભાવને ઉપશમ ભાવ અથવા ઔપથમિક ભાવ કહે છે. આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને જડ કર્મનું પ્રગટરૂપ ફળ જડ કર્મમાં ન આવવું તે કર્મનો ઉપશમ છે. ૨)ક્ષાયિક ભાવ આત્માના પુરુષાર્થથી કોઈ ગુણની શુદ્ધ અવસ્થા પ્રગટે તે ક્ષાયિક ભાવ છે. આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામી કર્મ આવરણનો નાશ થવો તે કર્મનો ક્ષય છે. ૩) ક્ષાયોપથમિક ભાવ: આત્માના પુરુષાર્થથી આંશિક અશુદ્ધતાનું પ્રગટ ન થવું અને કોઈ ગુણોની શુદ્ધ અવસ્થા પ્રગટે તે આત્માનો ક્ષાયોપથમિક ભાવ આત્માનો પર્યાય છે. આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને કર્મનો સ્વયં અંશે ક્ષય અને અંશે ઉપશમ તે કર્મનો ક્ષયોપશમ છે. ૪) ઔદયિક ભાવઃ કર્મોદયના નિમિત્તે આત્મામાં જે વિકાર ભાવ થાય તે ઔદયિક ભાવ છે. ૫) પારિણામિક ભાવઃ “પારિણામિક એટલે સહજ સ્વભાવ'. ઉત્પાદ-વ્યય વગરનો ધ્રુવ એકરૂપ કાયમ રહેનાર ભાવ તે પારિણામિક ભાવ છે. પારિણામિક ભાવ બધા જીવોનો સામાન્ય હોય છે. બધા ભાવો રહિતનો જે ભાવ તે પારિણામિક ભાવ છે. જેનો નિરંતર સદ્ભાવ રહે, સર્વ ભેદ જેમાં ગર્ભિત છે એવો ચૈતન્યભાવ તે જ જીવનો પારિણામિક ભાવ છે.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યયજ્ઞાન એ અવસ્થાઓ ક્ષાયોપથમિક ભાવ છે. કેવળજ્ઞાન અવસ્થા ક્ષાયિક ભાવ છે. કેવળજ્ઞાન પ્રગટ થયા પહેલાં જ્ઞાનના ઉઘાડનો જેટલો અભાવ છે તે ઔદયિક ભાવ છે. જ્ઞાન, દર્શન અને વીર્ય ગુણની અવસ્થામાં પથમિક ભાવ હોતો જ નથી. મોહનો જ ઉપશમ થાય છે. તેમાં પ્રથમ મિથ્યાત્વ(દર્શનમોહ)નો ઉપશમ થતાં જે સમ્યકત્વ પ્રગટે છે તે શ્રદ્ધા ગુણનો ઔપથમિક ભાવ છે.
- જીવને “સત અને અસતુ'ની સમજણ રહિતની દશા છે તે ‘ઉન્મત’ જેવું છે, પોતાની આવી દશા અનાદિની છે. વળી જીવને પુદ્ગલ કર્મ તથા શરીર સાથે પ્રવાહરૂપે અનાદિથી સંબંધ છે, અર્થાત્ જીવ પોતે તે ને તે જ છે પણ કર્મ અને શરીર જૂના જાય છે અને નવા આવે છે, એમ આ સંયોગ સંબંધ અનાદિથી ચાલ્યો આવે છે.
અજ્ઞાનદશામાં આ સંયોગ સંબંધને જીવ એકરૂપે(તાદાત્મ સંબંધપણે) માને છે. અને એ રીતે અજ્ઞાનપણે જીવ શરીરને પોતાનું માનતો હોવાથી, શરીર સાથે માત્ર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોવા છતાં પણ તેની સાથે કર્તા-કર્મ સંબંધ માને છે. આ કારણે હું શરીરના કાર્ય કરી શકું એમ તે માનતો આવે છે.