SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૦ ૫) સંવરઃ પુણ્ય-પાપરૂપ અશુદ્ધ ભાવને (આમ્રવને) આત્માના શુદ્ધભાવ દ્વારા રોકવા તે ભાવસંવર છે અને તદાનુસાર કર્મોનું આવવું સ્વયં સ્વતઃ અટકવું તે દ્રવ્યસંવર છે. ૬) નિર્જરાઃ અખંડાનંદ શુદ્ધ આત્મસ્વભાવના બળે આંશિક શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધ (શુભાશુભ ઇચ્છારૂપ) અવસ્થાની હાનિ કરવી તે ભાવનિર્ભર છે; અને તેનું નિમિત્ત પામીને જડ કર્મનું સ્વયં સ્વતઃ અંશે ખરી જવું તે દ્રવ્ય નિર્જરા છે. ૭) મોશ અશુદ્ધ અવસ્થાનો સર્વથા-સંપૂર્ણ નાશ થઈ આત્માના પૂર્ણ શુદ્ધ પર્યાયનું પ્રગટ થવું તે ભાવમોક્ષ છે અને તે સમયે પોતાની યોગ્યતાથી દ્રવ્યકર્મોનો આત્મપ્રદેશોથી અત્યંત અભાવ થયો તે દ્રવ્યમોક્ષ છે. સાત તત્ત્વોમાં પહેલાં બે તત્ત્વો, જીવ અને અજીવ, એ દ્રવ્યો છે. અને બીજા પાંચ તત્ત્વો તેમના (જીવ અને અજીવના) સંયોગી અને વિયોગી પર્યાયો વિશેષ અવસ્થાઓ) છે. આસ્રવ, બંધ સંયોગી પર્યાયો છે, સંવર, નિર્જરા મોક્ષ વિયોગી પર્યાય છે. પ્ર. ૪: શાસ્ત્રોમાં દ્રવ્યકર્મો જીવના ગુણોનો ઘાત કરે છે એ શું છે? ઉ. ૪: આત્મા અને પારદ્રવ્યો (દ્રવ્યકર્મ) તદ્દન જુદા છે, એકનો બીજામાં અત્યંત અભાવ છે. એક દ્રવ્ય, તેના ગુણ કે તેના કોઈ પર્યાય બીજા દ્રવ્યમાં, તેના ગુણમાં કે તેના પર્યાયમાં પ્રવેશી શકતા નથી, માટે એક દ્રવ્ય, બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ એવી વસ્તુસ્થિતિની મર્યાદા છે. વળી દરેક દ્રવ્યમાં અગુરુલઘુત્વ ગુણ છે કેમ કે તે સામાન્ય ગુણ છે. તે ગુણને લીધે કોઈ કોઈનું કાંઈ કરી શકે નહિ. તેથી આત્મા પરદ્રવ્યનું કાંઈ કરી શકે નહિ, શરીરને હલાવી-ચલાવી શકે નહિ, દ્રવ્યકર્મો કે કોઈ પણ પરદ્રવ્ય જીવને કદી નુકસાન કરી શકે નહિ, આ પ્રથમ નક્કી કરવું. શાસ્ત્રોમાં દ્રવ્યકર્મો જીવના ગુણનો ઘાત કરે છે એવું કથન આવે છે તેથી તે કર્મોનો ઉદય જીવના ગુણોનો ઘાત કરે છે એમ ઘણા માને છે અને તેનો તેનો અર્થ કરે છે; પણ તે અર્થ ખરો નથી. કેમ કે તે કથન વ્યવહાર નયનું છે-માત્ર નિમિત્તનું જ્ઞાન કરાવનારું કથન છે. તેનો ખરો અર્થ એવો થાય છે કે જ્યારે જીવ પોતાના પુરુષાર્થના દોષ વડે પોતાના પર્યાયમાં વિકાર કરે છે અર્થાત્ પોતાના પર્યાયનો ઘાત કરે છે ત્યારે તે ઘાતમાં અનુકૂળ નિમિત્તરૂપ જે દ્રવ્યકર્મ આત્મપ્રદેશોથી ખરવા તૈયાર થયું છે તેને ઉદય કહેવાનો ઉપચાર છે એટલે કે તે કર્મ પર નિમિત્તનો આરોપ આવે છે. અને જો જીવ પોતે પોતાના સત્ય પુરુષાર્થ વડે વિકાર કરતો નથી - પોતાના પર્યાયનો ઘાત કરતો નથી તો દ્રવ્યકર્મોના તે જ સમૂહને નિર્જરા' નામ આપવામાં આવે છે. આ રીતે નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરાવવા પૂરતો તે વ્યવહાર કથનનો અર્થ થાય છે. બીજા શબ્દો પ્રમાણે અર્થ કરવામાં આવે તો તે સંબંધને કર્તા-કર્મ સંબંધ માનવા તૈયાર થાય છે; અર્થાત્ ઉપાદાન-નિમિત્ત, નિશ્ચય-વ્યવહાર એકરૂપ થઈ જાય છે. અથવા એક બાજુ જીવ દ્રવ્ય અને બીજી બાજુ અનંત પુદ્ગલ દ્રવ્યો (કર્મો)- તે અનંત દ્રવ્યોએ મળી જીવમાં વિકાર કર્યો એમ તેનો અર્થ થઈ જાય છે કે જે બની શકે નહિ. આ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવા કર્મના ઉદયે જીવને અસર કરી એમ ઉપચારથી કહેવાય છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy