SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ કર્મના સિદ્ધાંત સંબંધી પ્રશ્નો : ૫૬૯ પ્ર. ૧ : આત્માનો અને કર્મનો શો સંબંધ છે ? ઉ. ૧ : સંસાર અવસ્થામાં અનાદિથી આત્માનો અને કર્મ સાથેનો એકક્ષેત્રાવગાહ રહેવાનો સંબંધ છે. વ્યવહારથી એમ કહેવામાં આવે છે કે આત્માને કર્મબંધન છે. જેવી રીતે ખાણમાંથી નીકળતું સોનું માટી સાથે હોય છે, તે જ રીતે અનાદિથી આત્મા અને કર્મનો આવો એક સહજ સંબંધે છે. પ્ર. ૨ ઃ કર્મનું સ્વરૂપ શું છે અને તે કેટલા પ્રકારના છે ? ઉ. ૨ : આ છ દ્રવ્ય સ્વરૂપ લોકમાં ૧) જીવ ૨) પુદ્ગલ બે દ્રવ્ય છે. આખો લોક આવા પુદ્ગલ પરમાણુઓથી ભરેલો છે. એમાંથી જે પુદ્ગલ પરમાણુઓની કર્મરૂપે પરિણમવાની યોગ્યતા હોય તેને ‘કર્મ’ કહેવામાં આવે છે. એટલે ‘કર્મ’ એ જડ પુદ્ગલ છે. કર્મ અનંત પ્રકારના છે. તેમાં સમજવા માટે મુખ્ય આઠ પ્રકાર બતાવવામાં આવ્યા છે, જ્ઞાનાવરણીય આદિ. હવે શાસ્ત્રમાં બીજા ત્રણ શબ્દો આવે છે. ૧) ભાવકર્મ. ૨) દ્રવ્યકર્મ અને ૩) નોકર્મ. ૧) ભાવકર્મ : આત્માની પર્યાયમાં જે ભાવરૂપ પરિણમન થાય તેને ભાવકર્મ કહે છે. ૨) દ્રવ્યકર્મ : જ્ઞાનાવરણીય આદિ જે આઠ પ્રકારના કર્મો છે તે કર્મના સમુહને દ્રવ્યકર્મ કહે છે. ૩) નોકર્મ : શરીરના જે પુદ્ગલ પરમાણુઓ છે તેને નોકર્મ કહે છે. જે દ્રવ્યકર્મ છે તેને કાર્મણ શરીર પણ કહેવામાં આવે છે. પ્ર. ૩ : આ કર્મના સ્વરૂપને તત્ત્વમાં કઈ રીતે સમજાવવામાં આવ્યું છે ? ઉ. ૩ : તત્ત્વ સાત છે. ૧) જીવ ૨) અજીવ ૩) આસવ ૪) બંધ ૫) સંવર ૬) નિર્જરા અને ૭) મોક્ષ. ૧) જીવ : જીવ અર્થાત્ આત્મા. તે સદા જ્ઞાતાસ્વરૂપ, પરથી ભિન્ન અને ત્રિકાળ સ્થાયી (ટકનારો) છે. ૨) અજીવ : જેમાં ચેતના - જાણપણું નથી તેવા દ્રવ્યો પાંચ છે. તેમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ ચાર અરૂપી છે અને પુદ્ગલ રૂપી - સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ સહિત છે. ૩) આસવ : વિકારી શુભાશુભ ભાવરૂપ જે અરૂપી અવસ્થા જીવની પર્યાયમાં થાય છે તે ભાવાસવ છે અને તે સમયે નવીન કર્મ યોગ્ય રજકણોનું સ્વયં (સ્વતઃ) આવવું (આત્મા સાથે એક ક્ષેત્રે આવવું) તે દ્રવ્યાસવ છે. (તેમાં જીવનો અશુદ્ધ પર્યાય નિમિત્તમાત્ર છે.) પુણ્ય અને પાપ બન્ને આસવ અને બંધના પેટા ભેદ છે. ૪) બંધ : આત્માનું અજ્ઞાન, રાગ-દ્વેષ, પુણ્ય-પાપરૂપ વિકારમાં રોકાઈ જવું (અટકી જવું) તે ભાવબંધ છે અને તે સમયે કર્મયોગ્ય પુદ્ગલોનું સ્વયં સ્વતઃ જીવની સાથે એકક્ષેત્રાવગાહ રૂપે બંધાવું તે દ્રવ્યબંધ છે. (તેમાં જીવનો અશુદ્ધ ભાવ નિમિત્તમાત્ર છે.) ખરેખર પુદ્ગલ પરમાણુઓનો, બીજા પુદ્ગલ પરમાણુ સાથે બંધ થાય છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy