________________
૫૬૮
૧૮) ઉપાદાન-નિમિત્ત બન્ને એક સાથે પોતપોતાના કારણે હોય જ છે. ૧૯) ખરેખર નિશ્ચય કારણ (ઉપાદાનકારણ) તે જ ખરું કારણ છે. પરંતુ તેનું કથન બે પ્રકારે છે. જેવી રીતે મોક્ષમાર્ગ તો બે નથી પણ તેનું નિરુપણ બે પ્રકારથી થાય છે. જ્યાં સાચા માર્ગને મોક્ષમાર્ગ નિરુપણ કર્યો છે તે નિશ્ચય મોક્ષમાર્ગ છે તથા જ્યાં જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે, કારણ કે નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે; અર્થાત્ સાચું નિરુપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરુપણ તે વ્યવહાર માટે નિરુપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષમાર્ગ જાણવો; પણ એક નિશ્ચય મોક્ષમાર્ગ અને એક વ્યવહાર મોક્ષમાર્ગ છે એમ બે મોક્ષમાર્ગ માનવા મિથ્યા છે. વળી તે નિશ્ચય-વ્યવહાર બન્નેને ઉપાદેય માને છે તે ભ્રમ છે, કારણ કે નિશ્ચય-વ્યવહારનું
સ્વરૂપ તો પરસ્પર વિરોધતા સહિત છે. પ્ર. ૧૪: જીવને બીજા દ્રવ્યો ઉપકાર કરે છે એવા કથનનો શો અર્થ છે? ઉ. ૧૪: પરદ્રવ્યો જીવને ઉપકાર કરે છે તે વ્યવહાર કથન છે, અર્થાતું ખરેખર ઉપકાર કરતાં નથી, પણ સ્વસંવેદન લક્ષણથી વિરુદ્ધ વિભાવ પરિણતિમાં રત થયેલા જીવને તે જ નિશ્ચયથી દુઃખના કારણ (નિમિત્તકારણ) છે. પ્ર. ૧૫: સંજ્ઞી પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું, કર્મનો મંદ ઉદય, સમજ્ઞાનીનો ઉપદેશ વગેરે નિમિત્ત વિના ખરેખર મોક્ષમાર્ગ પ્રગટ થાય છે? ઉ. ૧૫: ૧) હા; કારણ કે દરેક દ્રવ્યના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પોતાપણે છે અને પરપણે નથી, માટે એક દ્રવ્યને બીજા દ્રવ્યની જરૂર પડતી જ નથી. જ્યાં નિશ્ચયકારણ-ઉપાદાનકારણ હોય છે ત્યાં વ્યવહારકારણ-નિમિત્તકારણ હોય છે જ. ૨) જીવ નિજ શુદ્ધ જ્ઞાતા-દષ્ટા સ્વભાવની રુચિ અને તેમાં લીનતારૂપ પુરુષાર્થના કરે ત્યાં સુધી કોઈ પદાર્થ પર નિમિત્તપણાનો આરોપ આવતો નથી. જીવ જ્યારે પોતામાં ધર્મ-અવસ્થા પ્રગટ કરે ત્યારે તેને ઉચિત (અનુકૂળ) બાહ્ય પદાર્થ ઉપર નિમિત્તપણાનો આરોપ આવે છે. ૩) નિશ્ચય નયે તો નિમિત્ત વિના ઉપાદાનમાં સ્વથી જ કાર્ય થાય છે, પણ તે કાળે કેવા નિમિત્તો હોય છે તેનું જ્ઞાન કરાવવા માટે નિમિત્ત વિના કાર્ય થતું નથી એવું વ્યવહાર નયનું કથન છે. ૪) જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચય નયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે. તેને તો સત્યાર્થ ‘એમ જ છે એમ જાણવું. તથા કોઈ ઠેકાણે વ્યવહાર નયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે એમ જાણવું. ૫) આવા નિમિત્ત તો જીવને પૂર્વે અનંત વાર મળ્યા છે, પણ પોતાના ક્ષણિક ઉપાદાનકારણ વિના તે મોક્ષમાર્ગ પામી શક્યો નથી. આ રીતે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ બરાબર સમજવું