________________
પપર
અંતર્મગ્ન થઈ ગઈ ત્યાં તેને ફેરવવાનું ક્યાં રહ્યું ? તે પર્યાય પોતે દ્રવ્યના કાબુમાં આવી જ ગયેલી છે. પર્યાય આવશે ક્યાંથી ? - દ્રવ્યમાંથી, માટે જ્યાં આખા દ્રવ્યને કાબુમાં લઈ લીધું (શ્રદ્ધા-જ્ઞાનમાં સ્વીકારી લીધું) ત્યાં પર્યાયો કાબુમાં આવી જ ગઈ, એટલે કે દ્રવ્યના આશ્રયે પર્યાયો સમ્યક્ નિર્મળ જ થવા માંડી. જ્યાં સ્વભાવ નક્કી કર્યો ત્યાં જ મિથ્યાજ્ઞાન ટળીને સમ્યજ્ઞાન થયું, મિથ્યાશ્રદ્ધા પલટીને સમ્યગ્દર્શન થયું - એ પ્રમાણે નિર્મળ પર્યાયો થવા માંડી તે પણ વસ્તુનો ધર્મ છે. વસ્તુનો સ્વભાવ ફર્યો નથી ને પર્યાયોનો ક્રમની ધારા તૂટી નથી. દ્રવ્યના આવા સ્વભાવનો સ્વીકાર કરતાં પર્યાયની નિર્મળ ધારા શરૂ થઈ ગઈ ને જ્ઞાનાદિનો અનંતો પુરુષાર્થ તેમાં ભેગો જ આવી ગયો.
ΟΥ
સ્વ કે પર કોઈ દ્રવ્યને, કોઈ ગુણને કે કોઈ પર્યાયને ફેરવવાની બુદ્ધિ જ્યાં ન રહી ત્યાં જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી ગયું, એકલો વીતરાગી જ્ઞાતા ભાવ જ રહી ગયો, તેને અલ્પકાળમાં મુક્તિ થાય જ બસ ! જ્ઞાનમાં જ્ઞાતા-દૃષ્ટાપણું રહેવું તે જ સ્વરૂપ છે, તે જ બધાનો સાર છે.
અંતરની આ વાત જેને ખ્યાલમાં ન આવે તેને ક્યાંક પરમાં કે પર્યાયમાં ફેરફાર કરવાનું મન થાય છે; જ્ઞાતા ભાવને ચૂકીને ક્યાંય પણ ફેરફાર કરવાની બુદ્ધિ તે મિથ્યાબુદ્ધિ છે.
પ્ર. ૯ : ક્રમબદ્ધ પર્યાયથી ખરેખર સમ્યગ્દર્શન કેમ થાય છે ?
ઉ. ૯ : ક્રમબદ્ધ પર્યાયથી ખરેખર એને ખ્યાલમાં આવ્યું હોય તે એટલે કે જે કરવાપણાના દુઃખથી થાકેલાં છે તે પરના કરવાપણાથી ખસીને આત્મા તરફ આવે છે. જે કર્તાપણાની બુદ્ધિથી થાકેલો છે એ પરના કર્તાપણાના અભિમાનથી થાકીને આત્મા તરફ વળે છે તેને સમ્યગ્દર્શન થાય છે. સંસારથી ખરેખર થાકેલાને જ સમ્યગ્દર્શન થાય છે. જે સમયે જે પર્યાય થવાની છે તે જ થાય છે - તીર્થંકરને પણ જે પર્યાય થવાની તે જ થાય છે, તેને આધી પાછી કરી શકે નહિ. સંસારથી ખરેખર જે થાકી ગયો છે એને એમ થાય છે કે મારે કાંઈ જોઈતું નથી. એટલે હું કાંઇક કરું અને એનાથી મને બીજું કાંઇક મળે એવી સ્પૃહાં નથી. ક્રમબદ્ધની દૃષ્ટિવાળાને દરેક દ્રવ્યની પર્યાય આત્માના કર્તવ્ય વિના ક્રમબદ્ધ સ્વયં થાય છે એમ એને બેસી ગયું છે. પ્ર. ૧૦ : ક્રમબદ્ધ પર્યાય યથાર્થ સમજમાં ક્યારે આવે છે ?
ઉ. ૧૦ઃ જ્ઞાયક સ્વભાવ લક્ષમાં આવે ત્યારે ક્રમબદ્ધ પર્યાય યથાર્થ સમજમાં આવી શકે છે. જે જીવ પાત્ર થઈને પોતાના આત્મહિત માટે સમજવા માંગે છે તેને આ વાત યથાર્થ સમજમાં આવી રહે છે. જેને જ્ઞાયકની શ્રદ્ધા નથી, સર્વજ્ઞની પ્રતીત નથી, અંદરમાં વૈરાગ્ય નથી અને કષાયની મંદતા પણ નથી એવા જીવ તો જ્ઞાયક સ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ છોડીને ક્રમબદ્ધના નામે સ્વચ્છંદતાનું પોષણ કરે છે, એવા સ્વચ્છંદી જીવની અહીં વાત નથી. જે જીવ ક્રમબદ્ધ પર્યાયને યથાર્થરૂપથી સમજે છે તેને સ્વચ્છંદતા થઈ શકે જ નહિ. ક્રમબદ્ધને યથાર્થ સમજે તે જીવ જ્ઞાયક થઈ જાય છે, તેને કર્તૃત્વના ઉછાળા શમી જાય છે ને પરદ્રવ્યનો અને રાગનો અકર્તા થઇ જ્ઞાયકમાં એકાગ્ર થતો જાય છે.
પ્ર. ૧૧ : જૈનદર્શનનો મૂળ સિદ્ધાંત શું છે ?
ઉ. ૧૧ : ૧) એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, સ્પર્શ કરતું નથી.