________________
૫૫૧
અકર્તા સ્વરૂપ છે. જ્ઞાતા સ્વભાવ તરફ ઢળી જવું તેમાં જ અકર્તાપણાનો મહાન પુરુષાર્થ છે. ખરેખર તો પર્યાયને દ્રવ્ય તરફ વાળવી આ એક જ વસ્તુ છે, એ ખરેખર જૈન દર્શન છે. અહાહા ! જૈન દર્શન આકરું બહુ ! પણ અપૂર્વ છે અને તેનું ફળ મહાન છે. સિદ્ધ ગતિ એનું ફળ છે. પરનો કર્તા તો નથી, રાગનો કર્તા તો નથી પણ નિર્મળ પર્યાયનો કર્તા નહિ. કેમ કે પર્યાય ષટ્કારકથી સ્વતંત્ર પરિણમે છે. એનામાં ભાવ નામની એક શક્તિ છે તેના કારણે પર્યાય થાય જ છે, કરું તો થાય એમ નથી. અહાહા ! ભાઇ ! માર્ગ આકરો છે, અચિંત્ય છે, અગમ્ય છે, અગમ્યને ગમ્ય કરાવે એવો અપૂર્વ માર્ગ છે. પર્યાય ક્રમસર થાય છે, દ્રવ્ય-ગુણ પણ એનો કર્તા નહિ - એમ કહીને એકલી સર્વજ્ઞતા સિદ્ધ કરી છે. અકર્તાપણું એટલે જ્ઞાતાપણું સિદ્ધ કર્યું છે.
પ્ર. ૫ : ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયનું તાત્પર્ય શું છે ?
ઉ. ૫ ઃ ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતથી મૂળ તો અકર્તાપણું સિદ્ધ કરવું છે. જૈનદર્શન અકર્તાવાદ છે. આત્મા અકર્તા છે. પર્યાય પર્યાયના જન્મક્ષણે ષટ્કારકથી જ સ્વતંત્ર જે થવાની છે તે જ થાય છે, પણ એ ક્રમબદ્ધનો નિર્ણય પર્યાયના લક્ષે થતો નથી. ક્રમબદ્ધનો નિર્ણય કરવા જાય ત્યાં શુદ્ધ ચૈતન્ય જ્ઞાયકધાતુ ઉપર દષ્ટિ જાય છે, ત્યારે જાણનાર જે પર્યાય પ્રગટ થાય છે તે ક્રમબદ્ધ પર્યાયને જાણે છે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય સ્વભાવ સન્મુખના અનંતા પુરુષાર્થપૂર્વક થાય છે. ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયનું તાત્પર્ય વીતરાગતા
છે. એ વીતરાગતા વીતરાગ સ્વભાવ પર દષ્ટિ જાતાં પર્યાયમાં પ્રગટે છે. સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. પ્ર. ૬ : ક્રમબદ્ધ માનવાથી શું પુરુષાર્થ ઊડી જતો નથી ?
ઉ. ૬ : ક્રમબદ્ધમાં પુરુષાર્થ ઊડી જાય એવો અજ્ઞાનીને ડર લાગે છે, પણ ખરેખર તો ક્રમબદ્ધ માને તેની દૃષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે, એમાં જ પુરુષાર્થ છે. ક્રમબદ્ધ માનતા ફેરફારની દૃષ્ટિ છૂટી જાય ને સામાન્ય દ્રવ્ય પર દૃષ્ટિ જાય એ જ પુરુષાર્થ છે. ક્રમબદ્ધ નક્કી કરવા જાય ત્યાં હું પરનું કરી દઉં, વ્યવહારથી નિશ્ચયથી થાય એ બધું ઊડી જાય ને અંદર ઠરી જવાનો રસ્તો થાય. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની આ જ વિધિ છે.
પ્ર. ૭ : તો પછી કરવું શું ? સમ્યગ્દર્શન પ્રગટ કરવા કંઈક તો કરવું પડે ને ?
ઉ. ૭ : કરવા - ફરવાનું છે ક્યાં ? કરું કરુંની દૃષ્ટિ જ છોડવાની છે. રાગને કરવાનું તો છે જ નહિ પણ આત્મામાં અનંતા ગુણ છે તેનું પરિણમન પણ સમયે સમયે થઈ રહ્યું છે તેને પણ કરે શું ? ફક્ત તેની ઉપરથી ષ્ટિ છોડીને અંદરમાં જવાનું છે. શ્રેણીબદ્ધ પર્યાય છે એટલે તું જાણનાર જ છે. જાણનાર... પૂર્ણ જાણનાર એટલે વિકાર કે અપૂર્ણતા શું ! એકરૂપ પરિપૂર્ણ જ છું, પરિપૂર્ણ પરમાત્મા જ છું. પ્ર. ૮ : આત્મા પરમાં તો કાંઈ ફેરફાર ન કરી શકે એ તો ઠીક પણ પોતાની પર્યાયોમાં ફેરફાર કરવામાં પણ તેનો કાબુ નહિ ?
ઉ. ૮ : અરે ભાઈ ! જ્યાં દ્રવ્યને નક્કી કર્યું ત્યાં વર્તમાન પર્યાય પોતે દ્રવ્યમાં વળી જ ગઈ. પછી તારે કોને ફેરવવું છે ? મારી પર્યાય મારા દ્રવ્યમાંથી આવે છે એમ નક્કી કરતાં જ પર્યાય દ્રવ્યમાં અંતર્મુખ થઈ ગઈ, તે પર્યાય હવે ક્રમે ક્રમે નિર્મળ જ થયા કરે છે અને શાંતિ વધતી જાય છે. આ રીતે પર્યાય પોતે જ્યાં દ્રવ્યમાં