SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૦ ૪) કાળલબ્ધિઃ હવે જીવને અહીંયા વધારેમાં વધારે મુશીબત છે. જલ્દીથી - ઉતાવળથી કાર્ય થવામાં જીવ પુરુષાર્થ સમજે છે. પણ ભાઈ ! ઉતાવળે આંબા ન પાકે! આ ઉતાવળમાં જ બધી ભૂલો અને અકસ્માત થાય છે - મોક્ષમાર્ગમાં પણ એમ જ ભૂલ થાય છે. ૫) પુરુષાર્થ સત્ય પુરુષાર્થ બરાબર સમજવો પડશે. સર્વજ્ઞના નિર્ણયથી, ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયથી મતિ વ્યવસ્થિત થઈ જાય છે, કર્તુત્વનો અહંકાર ગળી જાય છે. સહજ જ્ઞાતા-દષ્ટનો પુરુષાર્થ જાગૃત થાય છે. સર્વજ્ઞતા, પરસન્મુખ વૃત્તિથી સમજવામાં આવનાર વસ્તુ નથી. સર્વજ્ઞતાની પર્યાયની સન્મુખ થયેલી દષ્ટિથી પણ સર્વજ્ઞતા સમજી શકાતી નથી. સર્વજ્ઞ સ્વભાવી આત્માના આશ્રયે સર્વજ્ઞતા સમજવામાં આવે છે. સર્વજ્ઞતાનું સાચું સ્વરૂપ સમજવા માટે આત્મોન્મુખી પુરુષાર્થ અપેક્ષિત છે. કમબદ્ધ સમજવાનો પણ એક માત્ર આ જ ઉપાય છે. ૯. કમબદ્ધ પર્યાય - સમ્યગ્દર્શન સંબંધી પ્રશ્નો: પ્ર. ૧ઃ ક્રમબદ્ધનો સિદ્ધાંત શું સિદ્ધ કરે છે? ઉ. ૧ : કમબદ્ધથી અલૌકિક દ્રવ્યની સિદ્ધિ થાય છે. ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત એ તો સર્વ આગમના મંથનનો સાર છેકમબદ્ધ પર્યાય એ પરમ સત્ય છે. જે કાળે જે થવાનું છે તે જ થશે. તેને ઇન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર પણ ફેરવવા સમર્થ નથી. કમબદ્ધ અકર્તાપણું સિદ્ધ કરે છે. આના સંસ્કાર પાડ્યા હશે તે સ્વર્ગમાં જશે ને ત્યાંથી સમકિત પામશે. પ્ર. ૨ઃ જીવ રાગ-દ્વેષની પર્યાયને ન ફેરવી શકે પણ શ્રદ્ધાની પર્યાયને ફેરવી શકે એમ છે ને? ઉ.૨: બધી પર્યાયને ફેરવી શકે; ન ફેરવી શકે એમ નક્કી કરવા જાય ત્યાં દષ્ટિ સ્વભાવ ઉપર જાય છે ત્યાં પર્યાયની દિશા જ આખી ફરી જાય છે. જ્ઞાનસ્વભાવ છું એમ નિર્ણય કર્યો ત્યાં બધું જેમ છે તેમ છે, ફેરવવું અને ન ફેરવવું શું? જેમ છે તેમ છે. નિયતનો નિશ્ચય કરવા જાય ત્યાં જ સ્વભાવનો પુરુષાર્થ સાથે જ છે અને રાગ પણ મંદ પડી ગયો છે. જ્ઞાનસ્વભાવ છું એમ નક્કી થઈ ગયું પછી બધું જેમ છે તેમ છે. ગ્રહવા યોગ્ય બધું ગ્રહાઈ ગયું ને છોડવા યોગ્ય બધું છૂટી ગયું. જ્ઞાતાનો પુરુષાર્થ ચાલુ જ છે. રાગ ઘટતો જાય છે એટલે પૂર્ણ વીતરાગતા થઈ જશે. પ્ર. ૩ જ્ઞાયક સ્વભાવના નિર્ણયથી શું થાય? ઉ.૩ઃ જે પર્યાય થવાવાળી છે તેને કરવું શું? અને જેનહિ થવાવાળી છે તેને પણ કરવું શું? એવો નિશ્ચય કરતાં જકર્તુત્વબુદ્ધિ તૂટીને સ્વભાવ સન્મુખ થઈ જાય છે. ત્રિકાળીને સર્વજ્ઞ જાણનાર-દેખનાર છે એમ હું પણ જાણવા-દેખવાવાળો જ છું. એવા ત્રિકાળી જ્ઞાયક સ્વભાવનો નિશ્ચય કરવો એ જ સમ્યગ્દર્શન છે. પ્ર. ૪: ક્રમબદ્ધની વાત વિચારતાં શું થાય છે? ઉ. ૪: અરે ભાઈ ! તું વિચાર તો કર કે તું કોણ છો? તું જ્ઞાનસ્વરૂપ છો. જે થાય તેને જાણ! તું કરનાર નહિ, જાણનાર છો. ક્રમબદ્ધની વાત વિચારે તો બધા ઝગડા મટી જાય. પોતે પરદ્રવ્યનો કર્તા તો નથી,
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy