SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૯ પ્ર. ૨૫ : ‘સર્વજ્ઞતા’નો અને ક્રમબદ્ધનો નિર્ણય કરવામાં પાંચે સમવાય સાથે હોય છે તે કેવી રીતે ? ઉ. ૨૫ : ૧) જે સમકિતીની પર્યાય થઈ તે નિજ સ્વભાવમાં એકાગ્રતા વડે થઈ એમાં ‘સ્વભાવ' આવી ગયો. ૨) જે સમકિતની પર્યાય થઈ તે થવાની હતી તે સ્વકાળે થઈ તે ‘નિયતિ’ છે. ભવિતવ્યતાનો ‘ભાવ’ આવી ગયો જે થવા યોગ્ય હતું તે થયું. ૩) જે સમકિતની પર્યાય ‘ક્રમબદ્ધ’ પોતાના કાળે જે થવાની હતી તે થઈ તે ‘કાળલબ્ધિ’ આવી ગઈ. ૪) સમકિતની પર્યાયના કાળે સ્વયં કર્મના ઉપશમાદિ થયા તે ‘નિમિત્ત’ પણ આવી ગયું. ૫) જે સમકિતની પર્યાય પ્રગટ થઈ તે સ્વભાવ સન્મુખતાના પુરુષાર્થ વડે જ થઈ તે ‘પુરુષાર્થ’ છે. આમ સમકિત થવા કાળે પાંચે સમવાય એક સાથે રહેલા છે. મોક્ષમાર્ગની પ્રાપ્તિનો કાળ હોય ત્યારે ઃ ૧. ચિદાનંદ ઘનસ્વભાવ ઉપર દૃષ્ટિ જાય તે સ્વભાવ થયો. ૨. આ જે (નિર્મળ) ભાવ થયો તે કાળે થયો તે થવાનો હતો તે જ થયો તે ભવિતવ્ય. ૩. તે જ કાળે આ (નિર્મળ) પર્યાય થવાનું જ્ઞાન થયું તે કાળલબ્ધિ થઈ. ૪. ત્યારે પ્રતિકૂળ નિમિત્તનો અભાવ થયો તે નિમિત્ત થયું. ૫. ચિદાનંદ ધનસ્વભાવની દૃષ્ટિ થઈ તે સ્વભાવ તરફનો પુરુષાર્થ થયો. પાંચ સમવાય ઃ કાર્યોત્પત્તિના પાંચ કારણોના સમવાયને સમ્યક્ ઘોષિત કરતાં આચાર્ય લખે છે ઃ સ્વભાવ, નિયતિ, નિમિત્ત, કાળલબ્ધિ અને પુરુષાર્થ આ પાંચ કારણોમાંથી કોઈ એકથી કાર્યોત્પત્તિ માનવી તે એકાંત છે, મિથ્યાત્વ છે અને એના સમવાયથી કાર્યોત્પત્તિ માનવી તે અનેકાન્ત છે, સમ્યક્ત્વ છે. પ્ર. ૨૬ : આ પાંચ સમવાયની કબુલાતમાં જીવને ક્યાં તકલીફ છે ? ઉ. ૨૬ : ૧) ‘સ્વભાવ’ બાબતમાં જીવોને બહુ શંકા નથી - એ સ્પષ્ટ છે. ૨) ફક્ત ‘નિયતિ’ વાદને માનવો તે સ્વચ્છંદી છે. જે જીવ સર્વજ્ઞને માનતો નથી, જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરતો નથી, જેણે અંતરોન્મુખ થઈને સમાધાન કર્યું નથી, વિપરીત ભાવોના ઉછાળા ઓછા પણ કર્યા નથી અને ‘થવાનું હશે તે થશે' એમ કહીને માત્ર સ્વચ્છંદી થાય છે તે મિથ્યાત્વનું પોષણ કરે છે. પરંતુ જ્ઞાનસ્વભાવના નિર્ણયપૂર્વક જો ક્રમબદ્ધ પર્યાયને સમજે તો જ્ઞાયક સ્વભાવના પુરુષાર્થ દ્વારા મિથ્યાત્વ અને સ્વચ્છંદ છૂટી જાય. ૩) નિમિત્ત ઃ હવે જ્યારે કાર્ય થવાનું છે ત્યારે તેની યોગ્યતા અનુસાર નિમિત્તની (સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની) હાજરી હોય જ છે. ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં સર્વજ્ઞતા અને સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનો નિર્ણય આવી જ જાય છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy