________________
૫૪૮
૨) સાચા દેવ-ગુરુ-ધર્મમાં દૃઢ પ્રતીતિ થાય.
૩) જીવાદિ સાત તત્ત્વોની યથાર્થ પ્રતીતિ થાય.
૪) સ્વ-પરનું યથાર્થ શ્રદ્ધાન થાય.
૫) આત્મશ્રદ્ધાન થાય, તેને સમ્યક્ત્વ કહે છે.
આ લક્ષણોથી અવિનાભાવ સહિત જે શ્રદ્ધા થાય છે તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. તે પર્યાયનો ધારક સમ્યક્ત્વ(શ્રદ્ધા) ગુણ છે, સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શન એના પર્યાયો છે.
પ્ર. ૨૩ : ધર્મી જીવ ધર્મ પ્રવૃત્તિમાં આગળ કેમ વધે છે ?
ઉ. ૨૩ : એકાકાર નિજ જ્ઞાયક સ્વભાવમાં વિશેષ વિશેષ રમણતા કરતાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એ રીતે ધર્મ પરિણતિની વૃત્તિ અનુસાર શુદ્ધતા વધતી જાય છે. પરિણામ વિશેષ શુદ્ધ થતાં કેવળજ્ઞાન અને વીતરાગતા પ્રગટે છે.
પ્ર. ૨૪ : ‘સર્વજ્ઞતા’ અને ‘ક્રમબદ્ધ પર્યાય’ નો નિર્ણય ઃ શું સંબંધ છે ?
ઉ. ૨૪ : જો સર્વજ્ઞતા આપણું લક્ષ્ય છે, પ્રાપ્તવ્ય છે, આદર્શ છે; તેને પ્રાપ્ત કરવા માટે જ બધો પ્રયત્ન છે તો પછી તેના સાચા સ્વરૂપના પરિજ્ઞાન વિના તેને પ્રાપ્ત કરવાનો માર્ગ કેવી રીતે થઈ શકે ? જૈન દર્શનનો મૂળાધાર સર્વજ્ઞતા જ છે. સર્વજ્ઞતાનો નિર્ણય અવશ્ય કરવો જોઈએ. સર્વજ્ઞતાના નિર્ણયમાં ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય સમાયેલો છે. સર્વજ્ઞતા અને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય જ્ઞાયક સ્વભાવની સન્મુખ થઈને જ થાય છે. ‘સર્વજ્ઞતા’ અને ‘ક્રમબદ્ધ પર્યાય’ એક રીતે પરસ્પર અનુબદ્ધ છે. એકનો નિર્ણય (સાચી સમજણ) બીજાના નિર્ણય સાથે જોડાયેલ છે. બન્નેનો નિર્ણય સર્વજ્ઞ સ્વભાવી નિજ આત્માની સન્મુખ થઈને થાય છે. સર્વજ્ઞતાની શ્રદ્ધા વિના દેવ-ગુરુ-શાસ્ત્રની સાચી શ્રદ્ધા પણ સંભવતી નથી, કેમ કે સાચા દેવનું તો સ્વરૂપ જ સર્વજ્ઞતા અને વીતરાગતા છે. શાસ્ત્રનું મૂળ પણ સર્વજ્ઞની વાણી છે. ગુરુ પણ સર્વજ્ઞ કથિત માર્ગાનુગામી છે. ત્રણ મૂઢતા અને આઠ મદ રહિત તથા આઠ અંગો સહિત સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનું શ્રદ્ધાન જ સમ્યગ્દર્શન છે.
H
જેની મતિ અવ્યવસ્થિત છે તેને જગત અવ્યવસ્થિત લાગે છે. આ અવ્યવસ્થિત મતિવાળા લોકો જગતને વ્યવસ્થિત કરવાના વિકલ્પોમાં જ ગૂંચવાયા છે. જ્યાં બધું જ પૂરેપુરું વ્યવસ્થિત છે - કાંઈ ફેરફાર કરવાની જગ્યા નથી ત્યાં વ્યવસ્થાપક બનવાની ધૂનમાં વ્યાકુળ થઈ રહ્યા છે. અને જ્યાં પોતાની મતિમાં અવ્યવસ્થા છે ત્યાં તેમનું ધ્યાન નથી. જ્યાં સુધી પોતે પોતાની મતિને, વસ્તુસ્વરૂપને અનુકૂળ વ્યવસ્થિત છે નહિ કરે ત્યાં સુધી આકુળતા જવાની નથી. ‘સર્વજ્ઞતા’ અને ‘ક્રમબદ્ધ પર્યાય’ની શ્રદ્ધા પ્રતીતિ વિના મતિ વ્યવસ્થિત થઈ જ શકતી નથી. સ્વયં સંચાલિત વ્યવસ્થા જ પૂર્ણ ન્યાય સંગત હોય છે અને તે સમજવી એ જ સત્ય પુરુષાર્થ છે. ક્રમબદ્ધના નિર્ણયનું તાત્પર્ય વીતરાગતા છે અને વીતરાગતા પર્યાયમાં ત્યારે જ પ્રગટ થાય છે જ્યારે વીતરાગ સ્વભાવ ઉપર દષ્ટિ જાય છે.